છેલ્લા ચાર મહિનામાં AMTS-BRTS આટલા લોકો માટે બની યમદૂત !અકસ્માતના આંકડા જાણી તમે ચોંકી જશો, જાણો વિપક્ષના નેતાએ શું કર્યા આક્ષેપ?


  • Published By :
  • Published Date : 2023-09-05 14:15:12

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વઘારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. અનેક વખત વાહન ચાલકોની બેદરકારી, ઓવરસ્પીડિંગને કારણે અકસ્માત સર્જાતા હોય અને કોઈ બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે અમદાવાદમાં ચાલતી એએમટીએસ અને બીઆરટીએસ બસ અનેક લોકો માટે યમદૂત સાબિત થઈ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર મહિનામાં AMTS અને BRTS બસ દ્વારા કુલ 259 જેટલા અકસ્માત સર્જાયા છે અને આ અકસ્માતોને કારણે 13 જેટલા લોકોના મોત થયા છે. દર મહિને આ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.  



થોડા સમય પહેલા પોલીસે કરી હતી મેગાડ્રાઈવ 

અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ઝડપથી આવતા વાહનોને કારણે અકસ્માત સર્જાય છે અને લોકોના જીવન જોખમમાં મૂકાય છે. થોડા સમય પહેલા અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં 10 જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા. તે બાદ પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી અને કાયદાનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી, લાખોનો દંડ ઉઘરાવવામાં આવ્યો. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા ચાર મહિનામાં બીઆરટીએસ અને એએમટીએસ બસે 259 જેટલા અકસ્માત સર્જ્યા છે. 


ચાર મહિનામાં AMTS-BRTS બસે સર્જ્યા 259 જેટલા અકસ્માત!  

આ મુદ્દે વિપક્ષના નેતા શહેઝાદાન પઠાણે જણાવ્યું કે, ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ શહેરમાં નાગરિકો પાસેથી શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ ખુદ કોર્પોરેશનના ખાનગી કોન્ટ્રાક્ટરોની બસોના ડ્રાઈવરો દ્વારા અકસ્માત સર્જવામાં આવી રહ્યા છે. ચાર મહિનામાં એપ્રિલ 2023થી ઓગસ્ટ મહિના સુધીમાં AMTS દ્વારા 102 જેટલા અકસ્માત કરવામાં આવ્યા છે. જેમાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે BRTS દ્વારા 157 જેટલા અકસ્માત થયા છે, જેમાં 4 લોકોનાં મૃત્યુ થયાં છે. આમ માત્ર ચાર મહિનામાં જ કુલ 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એવું પણ સામે આવ્યું છે કે ડ્રાઈવરો વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.    


          

નાની ઉંમરે બાળકો ચલાવે છે વાહન 

મહત્વનું છે કે અકસ્માતોને કારણે અનેક પરિવારો વિખેરાયા છે. કોઈ બાળકોએ પોતાના માતા પિતાને ગુમાવ્યા હશે તો કોઈ માતા પિતાઓએ પોતાના સંતાનને ગુમાવ્યા હશે. એવા પણ અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં નાની ઉંમરે બાળકોને વાલીઓ વાહન ચલાવવા આપી દેતા હોય છે. ચાવી આપતા પહેલા એવું નથી સમજાવતા કે રસ્તા પર બીજા પણ અનેક લોકો ચાલતા હોય છે. આપણી મજા કોઈ બીજા માટે સજા ન બને તેનું ધ્યાન રાખવું પડશે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!