છેલ્લા 24 કલાકમાં 5 હજારથી વધારે લોકો થયા કોરોના સંક્રમિત, જાણો કયા રાજ્યોમાં નોંધાયા સૌથી વધારે કેસ


  • Published By :
  • Published Date : 2023-04-10 11:19:04

કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. ભારતમાં કોરોના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો કોરોના સંક્રમિત થયા તે આંકડો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા કોરોના કેસનો આંકડો 6 હજારને પાર નોંધાયો હતો ત્યારે આજે કોરોના સંક્રમિતોનો આંકડો 5 હજાર 880 નોંધાયો છે. ગઈ કાલે કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5357 લોકો કોરોના સંક્રમિત થયા હતા. આજે કોરોનાને કારણે 12 જેટલા લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 35 હજાર 199 થઈ ગઈછે.

    

સમગ્ર દેશમાં ચાલી રહી છે મોક ડ્રિલ

મહત્વનું છે દેશમાં વધતા કોરોના કેસને જોતા સમગ્ર દેશમાં આજે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યોની કોરોના હોસ્પિટલોમાં મોક ડ્રિલ યોજાશે. બે દિવસ આ મોક ડ્રિલ ચાલવાનું છે. દિલ્હીની હોસ્પિટલ ખાતે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે. 


આ રાજ્યોમાં નોંધાયા વધારે કેસ 

મહત્વનું છે કે દિલ્હીમાં કોરોનાના નવા 699 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ચાર દર્દીઓના મોત થઈ ગયા છે. વધતા કોરોના સંક્રમણને જોતા માસ્ક પહેરવું ફરજિયાત અંગે દિલ્હી સરકાર વિચારી રહી છે. કેરળમાં પણ કોરોનાના અનેક કેસ નોંધાયા છે. કેરળમાં કોરોનાના 1801 નવા કેસ નોંધાયા છે. કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 12433 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 788 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. હરિયાણાથી કોરોનાના 428 કેસ સામે આ વ્યા છે. રાજ્યમાં 283 એક્ટિવ કેસ છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.