દેશમાં છેલ્લા 24 કલાકમા કોરોનાના નવા 10 હજારથી વધુ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 63 હજારને પાર


  • Published By :
  • Published Date : 2023-04-19 11:47:36

દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10542 નવા કેસ નોંધાયા છે જ્યારે 38 જેટલા લોકોના મોત કોરોના સંક્રમણને કારણે થયા છે. મંગળવારે કોરોનાના 7 હજાર જેટલા કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે કોરોના કેસમાં ગઈ કાલ કરતા ઉછાળો જોવા મળ્યો છે. એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે અને આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 63 હજારને પાર પહોંચી ગઈ છે.

  

દેશમાં કોરોનાના નવા 10 હજારથી વધુ કેસ નોંધાયા     

કોરોના સંક્રમણમાં બે ત્રણ દિવસથી ઘટાડો જોવા મળ્યો હતો. 14 એપ્રિલે કોરોનાના 10 હજાર 753 કેસ નોંધાયા હતા. 15 એપ્રિલે 10 હજાર 93 કેસ સામે આવ્યા હતા. 16 એપ્રિલે 9 હજાર 111 કેસ નોંધાયા હતા જ્યારે 17 એપ્રિલે 7 હજાર 633 કેસ નોંધાયા હતા. ત્યારે આજે કોરોનાના ફરી એક વખત 10 હજારને પાર કેસ નોંધાયા છે. કોરોનાને કારણે મૃત્યુ આંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 38 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 


રાજ્યોમાં નોંધાયા આટલા કેસ!

કેરળમાં કોરોનાના 2041 નવા કેસ સામે આવ્યા છે જ્યારે દિલ્હીથી 1537 કેસ સામે આવ્યા છે. હરિયાણામાં 965 કેસ નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 949 જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે. ઉત્તરપ્રદેશથી 818 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં 300થી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. કેન્દ્ર સરકાર પણ કોરોના કેસમાં વધારો થતા એક્ટિવ થઈ ગઈ છે. પાંચ લાખથી વધુ લોકોના મોત કોરોનાને કારણે થઈ ગયા છે.      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.