Gujarat વિધાનસભામાં સરકારે જણાવ્યું કે કેટલી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે ચાલે છે.. આંકડો જાણી ચોંકી જશો!


  • Published By :
  • Published Date : 2023-09-15 17:11:00

ગુજરાતમાં એક તરફ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી માટેની માગ કરી રહ્યા છે તો બીજી તરફ રાજ્યમાં અનેક શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલે છે. ગુજરાતમાં હાલ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં સરકારે આંકડો જાહેર કર્યો છે. રાજ્યમાં 900થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના સહારે ચાલે છે. રાજ્યમાં લાંબા સમયથી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવી મળી રહી છે. રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે રાજ્યની અનેક શાળાઓ એવી છે જે એક જ શિક્ષકના સહારે ચાલે છે. આ એ આંકડા છે જે સરકારે વિધાનસભામાં રજૂ કર્યો છે. (નીચે જે આંકડા આપેલા છે તે સરકારી પ્રાથમિક શાળાના આંકડા છે.)   


ગુજરાતની 926 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક!

ગુજરાતમાં શિક્ષણનું સ્તર પ્રતિદિન ઘટી રહ્યું છે. શિક્ષણની કથળી રહેલી પરિસ્થિતિને કારણે અનેક બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. અનેક શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલી રહી છે. ગુજરાતના 926 સ્કૂલ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો એક જ શિક્ષકના આધારે ચાલતી શાળાઓ મહિસાગર જિલ્લામાં તેમજ કચ્છ જિલ્લામાં છે. મહિસાગરમાં 106 શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષક ફરજ બજાવે છે, તો કચ્છ જિલ્લામાં 105 શાળાઓ એવી છે જે માત્ર શિક્ષકના સહારે ચાલે છે. વિધાનસભામાં સરકારે જાહેર કરેલા આંકડા છે જે ચોંકાવનારા છે. 


શિક્ષણ મંત્રી જે વિસ્તારમાંથી આવે ત્યાંની પણ આ જ પરિસ્થિતિ! 

મહિસાગર જિલ્લો એ જિલ્લો છે જ્યાંથી ગુજરાતના શિક્ષણ મંત્રી આવે છે. તે ઉપરાંત તાપી, નર્મદા, બનાસકાંઠા સહિતના અનેક જિલ્લાઓ છે જ્યાં એક જ શિક્ષક ધરાવતી શાળાઓ 50 ટકા જેટલી છે. તાપી જિલ્લામાં 84 સ્કૂલો, ખેડા જિલ્લામાં 39 શાળા, નર્મદા જિલ્લાની 45 શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલી રહી છે. સુરતમાં શિક્ષણની પરિસ્થિતિની વાત કરીએ તો 39 શાળાઓ, વડોદરાની 30 શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકોના સહારે ચાલે છે. 


જર્જરિત વર્ગખંડોમાં ભણવા વિદ્યાર્થીઓ મજબૂર!

ગુજરાતની અનેક શાળાઓ એવી છે જેના વર્ગખંડ જર્જરિત હાલતમાં છે. વિવિધ જિલ્લાઓમાં 7900 વર્ગખંડો એવા જે જર્જરિત હાલતમાં જોવા મળે છે. એક તરફ વિદ્યાર્થીઓ ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે તો બીજી તરફ જો વિદ્યાર્થીઓ શાળામાં ભણવા આવે છે તો તેમને ભણાવવા શિક્ષકો જ નથી. અનેક શાળાઓ એવી છે જ્યાં જરૂર કરતા ઓછા શિક્ષકો છે. શાળામાં શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડે છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ શિક્ષકોના અભાવને કારણે બગડી રહ્યું છે.      



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!