2022ના અંતિમ 'મન કી બાત' કાર્યક્રમમાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર કરી વાત


  • Published By :
  • Published Date : 2022-12-25 16:42:15

દર મહિનાના અંતિમ રવિવારે નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધતા હોય છે. ત્યારે આજે પીએમ મોદીએ વર્ષ 2022માં છેલ્લી વખત મન કી બાત કરી હતી. 96મી વાર તેમણે મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ 2022માં ભારતને મળેલી ઉપલબ્ધિયો વિશે વાત કરી હતી. ઉપરાંત પોતાની વાતમાં અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા હતા.

 


અટલજીને પોતાના સંબોધનમાં કર્યા યાદ

અટલજીને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે વાજપેયી એક મહાન રાજનેતા હતા. તેમના નેતૃત્ન હેઠળ ભારત શિક્ષણ નીતિ, વિદેશ નીતિ સહિતના વિષયો પર તેઓ ભારતને આગળ લઈ ગયા હતા. તેમને ઘણા લોકો પોતાના આદર્શ માને છે. ઉપરાંત પોતાના સંબોધનમાં સ્વચ્છ ભારત અભિયાનની પણ વાત કરી હતી. માતા ગંગાને સાફ કરવા પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.      


2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવાનું છે - પીએમ 

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે વર્ષ 2022 ભારત માટે ઘણી રીતે પ્રેરણાદાણી રહ્યું છે. ભારતે આ વર્ષે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. હર ઘર તિરંગા અભિયાનમાં ભારતની એકતા જોવા મળી હતી. મન કી બાતમાં પીએમ મોદીએ દેશને ટીબી મુક્ત કરાવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે અમારી સરકાર 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. 




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.