2022ના અંતિમ 'મન કી બાત' કાર્યક્રમમાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર કરી વાત


  • Published By :
  • Published Date : 2022-12-25 16:42:15

દર મહિનાના અંતિમ રવિવારે નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધતા હોય છે. ત્યારે આજે પીએમ મોદીએ વર્ષ 2022માં છેલ્લી વખત મન કી બાત કરી હતી. 96મી વાર તેમણે મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ 2022માં ભારતને મળેલી ઉપલબ્ધિયો વિશે વાત કરી હતી. ઉપરાંત પોતાની વાતમાં અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા હતા.

 


અટલજીને પોતાના સંબોધનમાં કર્યા યાદ

અટલજીને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે વાજપેયી એક મહાન રાજનેતા હતા. તેમના નેતૃત્ન હેઠળ ભારત શિક્ષણ નીતિ, વિદેશ નીતિ સહિતના વિષયો પર તેઓ ભારતને આગળ લઈ ગયા હતા. તેમને ઘણા લોકો પોતાના આદર્શ માને છે. ઉપરાંત પોતાના સંબોધનમાં સ્વચ્છ ભારત અભિયાનની પણ વાત કરી હતી. માતા ગંગાને સાફ કરવા પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.      


2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવાનું છે - પીએમ 

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે વર્ષ 2022 ભારત માટે ઘણી રીતે પ્રેરણાદાણી રહ્યું છે. ભારતે આ વર્ષે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. હર ઘર તિરંગા અભિયાનમાં ભારતની એકતા જોવા મળી હતી. મન કી બાતમાં પીએમ મોદીએ દેશને ટીબી મુક્ત કરાવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે અમારી સરકાર 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.