પ્રાંતિજના ધારાસભ્ય આવ્યા વિવાદમાં, ગજેન્દ્ર પરમાર પર લાગ્યો સગીરાની છેડતી કર્યા હોવાનો આરોપ


  • Published By :
  • Published Date : 2023-01-21 10:17:55

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.  સગીરાની શારિરીક છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. મહિલાએ તેની સગીર દીકરી સાથે શારિરીક છેડછાડ કર્યાનો આરોપ ધારાસભ્ય પર મુક્યો છે. આ ફરિયાદ સિરોહી પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે. 


શારિરીક છેડતીનો લાગ્યો આરોપ 

ધારાસભ્ય પર સગીરાની છેડતીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે ઓગસ્ટ 2020માં તે ગજેન્દ્રસિંહ સાથે પોતાની પુત્રી સાથે જેસલમેર જઈ રહી હતી. તે સમય દરમિયાન ધારાસભ્યે મહિલા સાથે આવેલી તેમની સગીર પુત્રી સાથે શારિરીક છેડછાડ કરી હતી. 


બળજબરીથી દીકરી સાથે છેડતી કર્યાનો લાગ્યો છે આરોપ  

મળતી વિગતો અનુસાર 2020માં અમદાવાદની મહિલા પ્રાંતિજના ધારાસભ્યના સંપર્કમાં આવી. તેમના પરિવાર અને દીકરી તથા અન્ય વ્યક્તિઓ સાથે જેસલમેર ફરવા ગયા હતા. આબુરોડ પર મહિલાને ઉલ્ટી આવી જેને કારણે તે નીચે ઉતરી. થોડા સમય બાદ ગભરાયેલી  હાલતમાં મહિલાની દીકરી બહાર આવી અને કહેવા લાગી મારે જેસલમેર નથી જઉં. જે બાદ તમામ લોકો અમદાવાદ પરત આવી ગયા. ધારાસભ્ય સામે શારિરીક શોષણને લઈ કેસ ચાલતો હતો. 


કાર્યવાહી ન થતા ખખડાવ્યા કોર્ટના દ્વાર 

આ દરમિયાન મહિલાએ માર્ચ 2022માં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. સારવાર અર્થે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તે સમયે દીકરીએ પણ પોતાની સાથે છેડતી થયું હોવાનું જણાવ્યું. જે બાદ પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી, પરંતુ કોઈ પ્રકારની કાર્યવાહી ન થતા સિરોહી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટના આદેશ બાદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને તેમના મિત્રો વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.        




ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે