રાજ્યમાં વધશે ઠંડીનું જોર, હાલ થાય છે બેેવડી ઋતુનો અનુભવ


  • Published By :
  • Published Date : 2022-12-19 13:35:47

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ રાત્રીના સમયે ઠંડીનો અનુભવ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. થોડા સમય પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પણ પડ્યો હતો. ગરમી હોવાને કારણે બપોરના સમયે ઉનાળો ચાલતો હોય તેવું લાગે છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઠંડીનું જોર વધી શકે છે.  


ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં વધશે ઠંડીનું જોર 

સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઠંડીનું જોર વધી જતું હોય છે. પરંતુ આ વખતે ડિસેમ્બરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ નથી રહ્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. હાડકા થીજી જાય તેવી ઠંડીનો અહેસાસ હાલ નથી થઈ રહ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં તાપમાનનો પારો ગગડી શકે છે. જેને કારણે ઠંડીનો અહેસાસ થશે.


દિવસ દરમિયાન થાય છે ગરમીનો અહેસાસ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર દિવસોમાં લઘુત્તમ તાપમાન ઘટી શકે છે. અમદાવાદમાં આગામી 3 દિવસ સરેરાશ મહત્તમ તાપમાન અંદાજીત 34 ડિગ્રી રહેશે જ્યારે સરેરાશ લઘુત્તમ તાપમાન 18ની આસપાસ રહેશે. તાપમાનમાં ઘટાડો ન થવાથી દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.