આવનાર દિવસોમાં સતીષ કૌશિકના મૃત્યુ અંગે થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા! ફાર્મ હાઉસમાંથી મળી આવી શંકાસ્પદ દવાઓ


  • Published By :
  • Published Date : 2023-03-11 16:29:33

સતીષ કૌશિકનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે 8 માર્ચે થયું હતું. સતીષ કૌશિકના મોત બાદ પોલીસ તેમના મોતના કારણો શોધવામાં લાગી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર તપાસ દરમિયાન પોલીસને ફાર્મ હાઉસ પરથી કેટલીક દવાઓ મળી આવી હતી. પોલીસ ફાર્મ હાઉસના માલિકની પૂછપરછ કરવા માગતી હતી પરંતુ તે હાલ ફરાર છે. આ એ જ ફાર્મ હાઉસ છે જ્યાં તેમણે હોળીની ઉજવણી કરી હતી. સતીષ કૌશિકનું મોત સંશાસ્પદ સંજોગોમાં થયું હતું જેને કારણે તેમના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ હજી સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી. પોલીસ હત્યાના પરિપ્રેક્ષ્યમાં હવે આ મોતને જોતી હોય તેવું લાગી રહ્યું છે. 


ફાર્મ હાઉસમાંથી મળી આવી શંકાસ્પદ દવાઓ       

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર સતીષ કૌશિકનું અવસાન 8 માર્ચના રોજ થયું હતું. તેમના મૃત્યુના એક દિવસ પહેલા તેમણે દિલ્હી ખાતે હોળીની ઉજવણી કરી હતી. બિજવાસન ફાર્માહાઉસમાં હોળી રમવા આવ્યા હતા અને તે બાદ રાત્રીના 11 વાગ્યા બાદ તેમને બેચેની થવા લાગી. જે બાદ તેમનું નિધન થયું હતું. હાર્ટ એટેક આવવાને કારણે તેમનું નિધન થયું છે કે કોઈ અન્ય કારણોસર તેમનું મોત થયું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ જે ફાર્મ હાઉસમાં હોળી પાર્ટીનું આયોજન થયું હતું તે ફાર્મ હાઉસમાંથી પોલીસને કેટલીસ શંકાસ્પદ દવાઓ મળી આવી છે. જે બાદ પોલીસે તપાસ આ મામલે આગળ વધારી છે. પોલીસ ફાર્મ માલિકની પૂછપરછ માટે તપાસ કરી રહી છે કારણ કે તે ફરાર છે. 


પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે પોલીસ  

66 વર્ષની ઉંમરે સતીષ કૌશિકે અંતિમ શ્વાસ લીધા છે. અચાનક તેમનું મોત થતા તેમના ચાહકોમાં તેમજ બોલિવૂડ જગતમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. આ અંગે પોલીસે જણાવ્યું કે સતીષ કૌશિકનું મોત શંકાસ્પદ સંજોગોમાં થયું છે. જેને કારણે તેમનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. પરંતુ હજી સુધી પોસ્ટમોર્ટનો રિપોર્ટ આવ્યો નથી જેને કારણે તેમના મોતનું સાચું કારણ શું છે તે જાણી શકાયું નથી.  


આવનાર દિવસોમાં થઈ શકે છે મહત્વના ખુલાસા!

પોલીસ અનેક પ્રશ્નોને લઈ વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટસ પોલીસનું કહેવું છે કે જ્યારે સતિષ કૌશિકની તબિયત ખરાબ થઈ ત્યાંથી લઈ હોસ્પિટલ પહોંચવા સુધી તેમની સાથે કોણ હતું, તેમની સાથે શું થયું. આ બધી વાતોને ધ્યાનમાં રાખી તપાસ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં હાજર લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે આવનાર દિવસોમાં આ અંગે મહત્વના ખુલાસા થઈ શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.  




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.