જૂનાગઢમાં યુવકની આત્મહત્યા મામલે MLA વિમલ ચુડાસમાનું નામ આવતા રાજકારણ ગરમાયું, ધારાસભ્યએ કર્યો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-10-29 16:06:11

ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા કાનુની સકંજામાં ફસાઈ શકે છે. તેમના પર એક યુવકને આત્મહત્યા માટે પ્રેરવાનો આરોપ લાગ્યો છે. મૃતક યુવકે સ્યુસાઈડ નોટ લખીને તેની આત્મહત્યા માટે  ધારાસભ્ય વિમલ ચુડાસમાને જવાબદાર ઠરાવ્યા છે. આ સ્યુસાઈડ નોટના કારણે  વિમલ ચુડાસમાની મુશ્કેલી વધી શકે છે. જુનાગઢ જિલ્લાના ચોરવાડના ઝુઝારપુર ગામમાં રહેતા એક કોળી યુવકે ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતા અરેરાટી મચી છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ચોરવાડ પોલીસની ટીમ ઝુઝારપુર ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને આ સુસાઈડ નોટ મળી આવી હતી. હાલ ગામમાં પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.  


શા માટે કરી આત્મહત્યા?


જૂનાગઢ જિલ્લાના ઝુઝારપુર ગામના યુવકે આત્મહત્યા પહેલા લખેલી સુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા, મનુભાઈ મકન કવા (રહે. પ્રાચી) અને ભનું મકન કવા (રહે. પ્રાચી)ના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સુસાઈડ નોટમાં મૃતકે લખ્યું કે આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છું’હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


યુવકે સુસાઇડ નોટમાં શું લખ્યું છે?


મૃતક યુવકે તેની સુસાઈડ નોટમાં લખ્યું છે કે  ''મારું નામ નિતીન જગદીશ પરમાર છે. રહેવાનું ઝુઝારપુર રોડ પર, હું અત્યારે ફાંસી ખાવ છું અને એના જીવેદાર ત્રણ વ્યક્તિ છે. 1. વિમલ કાના ચુડાસમા-સોમનાથ, 2. મનુભાઈ રહે-પ્રાચી અને 3 અન્ય યુવક ત્રાસી ખાતે રહે છે. આ 3 જણાને હિસાબે મને માનસિક ત્રાસ અને મને મારી નાખવાની ધમકે આવે છે જેને હિસાબે હું ફાંસી ખાવ છું અને મારું જીવન ટૂંકાવવું છું અને મારે મરવાનું કારણ આ 3 જણા જ છે. જે મેં ઉપર લખ્યું છે. અહીં મારી સહી કરું છું.


વિમલ ચુડાસમાએ શું કહ્યું? 


મૃતક નીતિન પરમારની સુસાઈડ નોટમાં  ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા બહાર આવતા રાજકારણ ગરમાયું છે. યુવકની આત્મહત્યા પાછળ પૈસાની લેતી-દેતી, અંગત અદાવત એક પછી કોઈ અન્ય કારણ છે તેનો ખુલાસો પોલીસ તપાસમાં થશે. પોલીસ કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાની પણ પૂછપરછ કરી શકે છે. જો કે આ સમગ્ર મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ ખુલતા ધારાસભ્યએ કર્યો ખુલાસો હતો. તેમણે મરનાર વ્યક્તિ તેમના સગા માસીનો દીકરો હોવાનું કબૂલ્યું હતું, "જો કે મારે છેલ્લા ઘણા સમયથી તેની સાથે કોઈ સંબંધ ન હતો. તે ઉપરાંત તેમણે યુવાનની આત્મહત્યા નહીં પણ હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી. વિમલ ચુડાસમાના જણાવ્યા પ્રમાણે તેના ખિસ્સામાંથી મળેલ સ્યુસાઇડ નોટમાં તેના અક્ષર નથી અને આ સુસાઈડ નોટના બહાને મને રાજકીય રીતે ફસાવવાનું ષડયંત્ર છે." આ સાથે જ વિમલ ચુડાસમાએ યોગ્ય તપાસ કરવાની માગ કરી છે. યુવાનના આપઘાત કેસમાં સ્યુસાઈડ નોટને ફોરેન્સિક ટેસ્ટ કરવામાં આવે તેવી પણ માગ કરી છે. આ મામલે ચોરવાડ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતક યુવાકના પરિવારજનો અને મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ચોરવાડ ગામમાં થતી ચર્ચા મુજબ આત્મહત્યા કરનાર યુવાન ભૂતકાળમાં વિમલભાઇ સાથે કામ કરતો હતો. ત્‍યાર બાદ સાંસદ રાજેશભાઇ ચુડાસમા સાથે જોડાયો હતો. યુવકની આત્મહત્યાને લઇ ગામમાં અનેક ચર્ચા ચાલી રહી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!