Rajkot Fire Accident મામલે હાઈકોર્ટ લાલઘૂમ, હાઇકોર્ટની ફટકાર બાદ તપાસ માટે નવી કમિટીની રચના થશે? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-15 16:06:37

ગુજરાતમાં અનેક વખત દુર્ઘટનાઓ સર્જાઈ છે. દુર્ઘટનાઓ થવાને કારણે અનેક નિર્દોષ લોકોના મોત થઈ જાય છે.. અનેક પરિવારોના માળા વિચેરાઈ જાય છે અને પરિવાર પોતાના સ્વજનોને ગુમાવે છે. થોડા દિવસો સુધી આપણે તે ઘટનાની વાત કરીએ છીએ અને થોડા દિવસ બાદ આપણે તેને ભૂલી જઈએ છીએ. થોડા દિવસો માટે કાયદાકીય કાર્યવાહી થાય છે પરંતુ તે પરિણામ સુધી નથી પહોંચતું.. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં આવી રહી છે. 

વિપક્ષ દ્વારા રાજકોટમાં કરવામાં આવ્યો હલ્લાબોલ 

હાઈકોર્ટ દ્વારા રાજકોટ અગ્નિકાંડ મામલે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જ્યારે જ્યારે પણ આ મામલે સુનાવણી થાય છે ત્યારે ત્યારે હાઈકોર્ટ સરકારની ઝાટકણી કાઢે છે. અનેક સવાલોના જવાબ હાઈકોર્ટ દ્વારા માગવામાં આવી રહ્યું છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. રોજે નવો નવો વળાંક આવે છે આ મામલે. અનેક લોકોના આ તપાસ દરમિયાન નામ સામે આવ્યા છે. વિપક્ષ દ્વારા પણ આ મામલે ન્યાયની માગ સાથે રાજકોટમાં હલ્લાબોલ કરવામાં આવ્યું છે. હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકાર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે.    



સરકાર કરી શકે છે નવી કમિટીની રચના

રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટની ઝાટકણી બાદ નવી કમિટીની રચના થશે તેવા સમાચાર સામે આવ્યા છે. અશ્વિની કુમારની આગેવાનીમાં નવી કમિટી રચાશે. નવી કમિટીમાં 5થી 7 સભ્યો હશે. નવી કમિટીમાં DGP સહિતના અધિકારીઓ હશે તેવી માહિતી સામે આવી છે. રવિવાર સુધી રાજ્ય સરકાર કમિટીની જાહેરાત કરશે. ગઠન બાદ કમિટી ઉચ્ચ અધિકારીઓની તપાસ કરશે. ગુજરાતમાં તક્ષશિલા કાંડ સુરતથી લઇને ટીઆરપી ગેમિંગ ઝૉન કાંડ સુધીની અનેક વાર ગંભીર આગના અકસ્માતની ઘટનાઓ બની છે. આમાં કેટલાય લોકો આગમાં ભૂંજાયા છે, કેટલાય પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ કોઇ યોગ્ય કાર્યવાહી થઇ શકી નથી. હવે આ કેસમાં પીડિતોને ન્યાય મળે એવી આશા... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે