Rajkot Fire Accident મામલે હાઈકોર્ટ લાલઘૂમ, હાઇકોર્ટની ફટકાર બાદ તપાસ માટે નવી કમિટીની રચના થશે? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-15 16:06:37

ગુજરાતમાં અનેક વખત દુર્ઘટનાઓ સર્જાઈ છે. દુર્ઘટનાઓ થવાને કારણે અનેક નિર્દોષ લોકોના મોત થઈ જાય છે.. અનેક પરિવારોના માળા વિચેરાઈ જાય છે અને પરિવાર પોતાના સ્વજનોને ગુમાવે છે. થોડા દિવસો સુધી આપણે તે ઘટનાની વાત કરીએ છીએ અને થોડા દિવસ બાદ આપણે તેને ભૂલી જઈએ છીએ. થોડા દિવસો માટે કાયદાકીય કાર્યવાહી થાય છે પરંતુ તે પરિણામ સુધી નથી પહોંચતું.. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં આવી રહી છે. 

વિપક્ષ દ્વારા રાજકોટમાં કરવામાં આવ્યો હલ્લાબોલ 

હાઈકોર્ટ દ્વારા રાજકોટ અગ્નિકાંડ મામલે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જ્યારે જ્યારે પણ આ મામલે સુનાવણી થાય છે ત્યારે ત્યારે હાઈકોર્ટ સરકારની ઝાટકણી કાઢે છે. અનેક સવાલોના જવાબ હાઈકોર્ટ દ્વારા માગવામાં આવી રહ્યું છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. રોજે નવો નવો વળાંક આવે છે આ મામલે. અનેક લોકોના આ તપાસ દરમિયાન નામ સામે આવ્યા છે. વિપક્ષ દ્વારા પણ આ મામલે ન્યાયની માગ સાથે રાજકોટમાં હલ્લાબોલ કરવામાં આવ્યું છે. હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકાર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે.    



સરકાર કરી શકે છે નવી કમિટીની રચના

રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટની ઝાટકણી બાદ નવી કમિટીની રચના થશે તેવા સમાચાર સામે આવ્યા છે. અશ્વિની કુમારની આગેવાનીમાં નવી કમિટી રચાશે. નવી કમિટીમાં 5થી 7 સભ્યો હશે. નવી કમિટીમાં DGP સહિતના અધિકારીઓ હશે તેવી માહિતી સામે આવી છે. રવિવાર સુધી રાજ્ય સરકાર કમિટીની જાહેરાત કરશે. ગઠન બાદ કમિટી ઉચ્ચ અધિકારીઓની તપાસ કરશે. ગુજરાતમાં તક્ષશિલા કાંડ સુરતથી લઇને ટીઆરપી ગેમિંગ ઝૉન કાંડ સુધીની અનેક વાર ગંભીર આગના અકસ્માતની ઘટનાઓ બની છે. આમાં કેટલાય લોકો આગમાં ભૂંજાયા છે, કેટલાય પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ કોઇ યોગ્ય કાર્યવાહી થઇ શકી નથી. હવે આ કેસમાં પીડિતોને ન્યાય મળે એવી આશા... 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.