નકલી ટોલનાકા કાંડ મામલે સીદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ પટેલ સામે રોષ, રાજીનામાની માગ ઉઠી


  • Published By :
  • Published Date : 2023-12-24 18:07:33

સમગ્ર ગુજરાતમાં ચકચારી એવા નકલી ટોલનાકા કૌભાંડમાં સીદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ પટેલનાં પુત્ર અમરશીની સંડોવણી બહાર આવતા તેમની સામે સમાજમાં રોષ વધ્યો છે. આજ રોજ રાજકોટ ખાતે કડવા પાટીદાર યુવક મંડળના કેટલાક સભ્યો જયરામ પટેલના ઉમિયા મંદિર સીદસર ટ્રસ્ટ માંથી રાજીનામાની માંગ સાથે સાથે એકઠા થયા હતા. મળતી વિગત મુજબ બોગસ ટોલનાકામાં જે જગ્યા છે તે જયરામ પટેલના દીકરાની છે અને એફઆઇઆરમાં પણ તેનું નામ છે તો ઉમિયા મંદિર સીદસર ટ્રસ્ટમાંથી જેરામ પટેલે જવાબદારી સ્વીકારી અને નૈતિકતાને આધારે રાજીનામું આપવું જોઈએ તેવી કડવા પાટીદાર યુવક મંડળના યુવકોએ માગ કરી હતી.


સીદસર ઉમિયાધામનાં પ્રમુખ જેરામ પટેલ રાજીનામું આપે


આજે રાજકોટનાં મવડી નજીક કડવા પાટીદાર સમાજનાં યુવાનોની એક બેઠક મળી હતી. આ મિટીંગમાં સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જામનગર સહિતના જિલ્લાઓના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો એકત્ર થયા હતા.જેમાં જેરામ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપે તેવી માગ કરવામાં આવી હતી. પાટીદાર આંદોલનમાં જોડાયેલા અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ નકલી ટોલનાકા કૌભાંડ ચર્ચાનો વિષય બન્યું છે. આ કૌભાંડમાં જેરામ પટેલનાં પુત્રનું નામ ખુલતા અમે માગ કરીએ છીએ કે, જેરામ પટેલ સીદસર ઉમિયાધામ પ્રમુખ પદેથી રાજીનામુ આપે. સમાજના આટલા મોટા આગેવાને જ્યારે પોતાના પુત્રનું નામ ખુલે ત્યારે જ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. પણ જેરામભાઈ ખુરશી ઉપર ચીપકી રહ્યા છે. જો રાજીનામું નહીં આપે તો ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા તૈયારી દર્શાવવામાં આવી હતી. જોકે બેઠક પૂર્ણ થતા મનોજ પનારાએ જણાવ્યું હતું કે, હવે ઉમિયા ધામ ખાતે આગામી 6 જાન્યુઆરીના મિટિંગ યોજાવવાની છે. આ મિટિંગમાં ઉમિયાધામ જેરામબાપાનું રાજીનામું લેવડાવશે. જેરામબાપા પ્રમુખ પદેથી રાજીનામું નહીં આપે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 22 તાલુકાઓમાં મિટિંગ યોજવામાં આવશે. 


પાટીદાર સમાજના આગેવાન ભરત લાડાણીની ઓડિયો ક્લિપ વાઇરલ


છેલ્લા કેટલાક દિવસથી ઉમિયાધામ પ્રમુખ પદેથી જેરામ પટેલ રાજીનામું આપે તેવી માગ કરવામાં આવી રહી છે. 6 જાન્યુઆરીનાં રોજ તે રાજીનામું આપે તેવી શક્યતા છે. આ અંગે ગઈકાલે જ કેશોદ કડવા પાટીદાર સમાજના આગેવાન ભરત લાડાણીની સીદસર ઉમિયાધામનાં ઉપપ્રમુખ સાથેની ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ હતી. આજરોજ મવડી નજીક સૌરાષ્ટ્રનાં આગેવાનોની બેઠક મળી છે. જેમાં જેરામ પટેલનાં રાજીનામા અંગે માગ કરાઈ રહી છે. ત્યારે હવે જેરામ પટેલ ક્યારે અને શું કારણથી રાજીનામું આપશે? તેના પર સૌની મીટ મંડાયેલી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.