ઢોરના મોત મામલે હાઈકોર્ટ લાલઘૂમ 'અંગત સ્વાર્થ અને લાભ માટે પશુઓના મોતને ચલાવી લેવાય નહીં.'


  • Published By :
  • Published Date : 2023-12-12 16:59:51

ગુજરાતમાં રખડતા ઢોરના આતંકથી લોકોને છુટકારો અપાવવા માટે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જો કે આ રખડતા ઢોરને જ્યારે ઢોરવાડામાં પુરવામાં આવે છે ત્યાર બાદ તેમની હાલત દયનિય જોવા મળે છે. જો કે હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટે આકરૂ વલણ અખત્યાર કર્યું છે. ઢોરવાડામાં પશુઓના મોત થઈ રહ્યા છે, તેને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. 


શું ટકોર કરી ગુજરાત હાઈકોર્ટે


ઢોરવાડામાં રખડતા પશુઓના મોતને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ અને નડીયાદમાં પશુઓના મોત અને તેમની દયનિય સ્થિતી અંગે હાઈકોર્ટે ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું કે અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોતને કોઈ હિસાબે ચલાવી લેવાય નહીં. કેટલ પોલીસીની આડમાં પશુઓના મોત ચલાવી શકાય નહીં. હાઈકોર્ટે ઢોરવાડાની ક્ષમતા, પશુઓને ચારો તેમજ તેમની સારવારની વિગતો રજુ કરવાનો આદેશ કર્યો હતો.


માલધારીઓમાં આક્રોશ


રાજ્યમાં રખડતા ઢોરને પકડવા માટે સરકારે કડક હાથે કામગીરી હાથ ધરી છે. જેના કારણે મોટા શહેરોમાં રખડતા ઢોરને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જો કે રખડતા ઢોરનો ઠાસી ઠાસીને ઢોરવાડામાં પકડવામાં આવી રહ્યા છે જેથી ઢોરવાડામાં જ પશુઓના મોત થી રહ્યા છે. અમદાવાદ અને નડીયાદમાં પકડાયેલા પશુઓનું ઢોરવાડામાં જ મોત થતાં માલધારીઓમાં ભારોભાર રોષ છે. ઢોરના મોતને લઈ માલધારી સમાજ શહેરમાં ધરણા-પ્રદર્શનો કરી રહ્યો છે. માલધારી સમાજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યલય સામે પણ દેખાવો કર્યા હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.