તમિલનાડુમાં મદ્રાસ કોર્ટે RSSની રેલી પર લગાવી શરતો, RSSએ કાર્યક્રમો જ રદ કરી દીધા


  • Published By :
  • Published Date : 2022-11-05 16:40:08

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રવિવારે તમિલનાડુમાં યોજાનાર તમામ કાર્યક્રમોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આરએસએસના રૂટમાં અમુક વિસ્તારોમાં હોબાળાની સંભાવનાઓ હતી માટે મદ્રાસ હાઈકોર્ટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યક્રમો માટે અમૂક શરતો મૂકી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાના તમામ જગ્યાઓના કાર્યક્રમોને સ્થગિત કરી દીધા છે અને મદ્રાસ કોર્ટના નિર્ણયને પડકારવા જાહેરાત કરી હતી. 


મદ્રાસ હાઈકોર્ટે આ કારણથી રાખી હતી શરતો

મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 44 જગ્યાઓ પર કાર્યક્રમો કરવા માટે શરતો રાખી હતી. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તમિલનાડુની 50 જગ્યાઓ પર રેલી કરવાની અનુમતિ માગી હતી. છ જગ્યાઓ પર રેલીની પરવાનગી નહોતી મળી. પોલીસે બાતમીના આધારે છ જગ્યાઓ પર રેલી યોજવા માટે મનાહી કરી દીધી હતી. મદ્રાસ કોર્ટના જજનો તર્ક હતો કે કોયંબતૂર, મેત્તુપલયામ, પોલ્લાચી, પલ્લાદામ, અરુમનાઈ અને નાગરકોઈલમાં રેલી યોજવા માટે મનાહી કરવામાં આવી હતી કારણ કે ત્યાં પરિસ્થિતિ યોગ્ય ના હતી. આથી મદ્રાસ કોર્ટે લાકડી વગેરે જેવી કોઈને ઈજા પહોંચે તેવી વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

What happened when RSS was banned 3 times in the past - India News

મદ્રાસ કોર્ટે જણાવ્યું હતું કે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોને આ વિસ્તારમાં રેલી કરવી હોય અને કોઈ વિસ્તારમાં હિંસા ફેલાય કે સાર્વજનિક સંપતિને કે કોઈની વ્યક્તિગત સંપતિને નુકસાન થાય તો તમામ ખર્ચો સંઘ આપશે. આના કારણે રાષ્ટ્રીય સ્વયં સંઘે પોતાના તમામ કાર્યક્રમો પર રોક લગાવી દીધી હતી અને મદ્રાસ કોર્ટને પડકાર ફેંક્યો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.