સુરતમાં યુવકે સફરજનના પૈસા ના આપ્યા તો હત્યા કરી દીધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 21:16:32

લોકોની ધીરજમાં ઘટાડો થઈ રહ્યો છે એવું સાંભળવામાં આવે છે પણ સુરતથી જે સમાચાર આવ્યા છે તે સાંભળીને તમને લાગશે જ કે આ સાચી વાત છે. મહીપાલ આહીર નામના એક યુવકે સફરજનના પૈસા ના આપ્યા તો સફરજન વેચનાર ચંદુભાઈ દેવીપૂજકના પુત્રએ મહીપાલ આહીરને એવો માર્યો કે તે ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો.


કેવી રીતે બની સમગ્ર ઘટના બની ઉગ્ર?

સુરત પોલીસે અમરોલીમાં સફરજન વેચનાર ચંદુભાઈ દેવીપૂજક અને તેના પુત્ર સુનિલ દેવીપૂજકની ધરપકડ કરી છે. આ ધરપકડ એટલા માટે કરવામાં આવી છે કારણ કે ચંદુભાઈના પુત્રએ એક યુવકને માથામાં લાકડાનો ફટકો મારતા યુવકનું મોત થઈ ગયું છે.


હત્યા બાદ લાશને ગાડી લઈ ફેંકી દીધી

સુનિલ દેવીપૂજકે મહીપાલ આહીર નામના યુવકને માથામાં લાકડાનો ફટકો મારતા મહીપાલનું માથમાં ઈજા પહોંચી હતી અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. સુનિલે મહીપાલને હોસ્પિટલ લઈ જવા માટે ફોન કરીને તેના મિત્રોને બોલાવ્યા હતા. પરંતુ ગંભીર અપરાધ હોવાના કારણે હોસ્પિટલે સારવારની મનાહી કરી દીધી હતી. તો મહિપાલે મહીપાલના મૃતદેહને પુણા ખાતે મૂકીને ભાગી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને તેના આધારે પોલીસ આરોપી પિતા-પુત્ર સુધી પહોંચી હતી અને બંનેની ધરપકડ કરી હતી. 

 




ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.