Suratમાં વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો 6 દિવસના પ્રવાસે ઉપડી ગયા, અભ્યાસ બગાડનારા શિક્ષકો સામે ફરિયાદ!


  • Published By :
  • Published Date : 2024-01-11 16:37:49

સુરતથી શિક્ષણજગતને લઈ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો પોતે પ્રવાસ પર ઉપડી ગયા હોવાની ઘટના સુરતથી સામે આવી છે. શિક્ષકો રજા પર હતા જેને કારણે બાળકોનો અભ્યાસ બગડ્યો. શિક્ષકો સામે ફરિયાદ કરવામાં આવતા DEO એક્શન મોડમાં આવ્યા છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ બગાડનારા શિક્ષકો સામે DEOને ફરિયાદ કરવામાં આવી છે. DEOએ આચાર્ય પાસેથી ખુલાસો મંગાયો છે. જે ઘટનાને લઈ વિવાદ છેડાઈ ગયો છે તે સુરતના લિંબાયતની માઉન્ટ મેરી હાઇસ્કુલનો છે.  



શિક્ષકો બાળકોને રજા આપી પ્રવાસ પર નિકળી પડ્યા!

સુરતના લિંબાયતની માઉન્ટ મેરી હાઇસ્કુલ  ચર્ચામાં છે. શાળાને લઈ એક વિવાદ સામે આવ્યો છે. શાળાના શિક્ષકો 5 દિવસના પ્રવાસે ઉપડી ગયા બાદ હવે અનેક સવાલો ઊભા થયા છે. વિવાદ એટલો બધા છેડાયો કે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પરમારે આ અંગે રજૂઆત કરી છે. વાત જાણે એમ છે કે, સુરતની એક શાળામાં શિક્ષકો બાળકોને 5 દિવસની રજા આપી અને પોતે પ્રવાસે ઉપડી ગયા હતા. પ્રાથમિક વિગતો મુજબ 1500 વિદ્યાર્થીઓની શાળામાં શિક્ષણકામ છોડી શિક્ષકો પ્રવાસે નીકળી જતાં પૂર્વ કોર્પોરેટરે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી છે. ઘટનાને લઈને  જિલ્લા શિક્ષણાધિકારીએ એજ્યુકેશન ઇન્સપેક્ટરને તપાસ સોંપી છે. 



ઘટનાને લઈ DEO આવ્યા એક્શનમાં!

લિંબાયતની માઉન્ટ મેરી હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો 5 દિવસના પ્રવાસે ઉપડી ગયા હોવાની ઘટનામાં હવે DEO એક્શનમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, જિલ્લા શિક્ષણાધિકારી બી એસ પરમારે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાની ફરિયાદને આધારે એજ્યુકેશન ઇન્સપેક્ટરને તપાસ સોંપી છે. આ સાથે વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો રજા માણવા નીકળી જતાં આચાર્ય પાસે ખુલાસો પણ મંગાયો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.