સુરતમાં પોલીસ કોન્સ્ટેબલની બહાદુરીને કારણે બચ્યો આધેડનો જીવ, પોતાના જીવની પરવા કર્યા વિના કોઝવેમાં લગાવી છલાંગ


  • Published By :
  • Published Date : 2023-03-29 12:45:04

પોલીસ અંગે જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે આપણાં મનમાં હમેશા પોલીસને લઈ નેગેટિવ ઈમેજ જ સામે આવતી હોય છે. પોલીસને લઈ લોકોના ઓપિનીયન મુખ્યત્વે નેગેટીવ જોવા મળતા હોય છે. પરંતુ ઘણી વખત આપણે પોલીસ દ્વારા કરવામાં આવતા કામોને જોઈ શકતા નથી. એક ખરાબ ચહેરો હોય છે તો એક સારો ચહેરો પણ જોવા મળતો હોય છે. સુરતથી એક એવી ઘટના સામે આવી છે જેમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા સારા કામનો ઝલક જોવા મળી હતી.     

નદીમાં ડૂબતા વૃદ્ધને કોન્સ્ટેબલે બચાવ્યો.

સાત મિનિટની અંદર આવી પોલીસની પીસીઆર વાન! 

સુરતથી પોલીસ દ્વારા માનવતાને છાજે એવું કાર્ય કરવામાં આવ્યું છે. સુરતના સિંગણપુર કોઝવેમાં ગઈકાલે થોડા દિવસો પહેલા એક વૃદ્ધ ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસની PCRને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા માત્ર સાત મિનિટમાં પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી. અને એ પીસીઆર વાનના ડ્રાઇવર ચિંતન રાજ્યગુરુ એ બહાદુરી બતાવીને વૃદ્ધને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી હતી. જે બાદ તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. 

વૃદ્ધનો જીવ બાચવનાર પોલીસ કોન્ટેબલ ચિંતન રાજ્યગુરુ.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો 

એવું કહેવામાં આવે છે કે પોતાના માટે તો સૌ કોઈ જીવે છે પરંતુ બીજા માટે જીવી બતાવે તે સાચા અર્થમાં જીવન જીવ્યા હોય છે.  આ વાતને સાર્થક સુરત શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે કરી બતાવી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને લોકો બીરદાવી રહ્યા છે. રેસ્ક્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


કોઝવેમાં પોલીસ કોન્સ્ટેબલે લગાવી છલાંગ  

આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી. કોન્સ્ટેબલ ચિંતન રાજ્યગૂરૂએ પોતાના જીવની પરવાહ કર્યા વગર કોઝવેવમાં છલાંગ લગાવી દીધી હતી. એક વૃદ્ધ વ્યક્તિ પાણીમાં ડૂબી રહ્યા હતા તેમને બચાવા લાકડા તેમજ દોરડાની મદદ લઈ રેસ્ક્યુ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. પોલિસ કોન્સ્ટેબલ અને સ્થાનિકની મદદથી એ વૃદ્ધને સુરક્ષિત બહાર લાવવાવામાં આવ્યાં હતા અને 108 બોલાવીને સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. 


પોલીસમાં માનવતા હજી જીવે છે 

છેલ્લે જે હોય એ પણ પોલિસનો એક એવો ચેહરો કે જે આપણે કદાચ ક્યારેય નથી જોઈ શકતા,ત્યારે ચિંતન રાજગુરુ જેવા કોન્સ્ટેબલ આવીને આપણને કહી જતા હોય છે કે પોલિસમાં પણ માનવતા જીવે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.