સુરતના પલસાણામાં પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો, લૂંટનું તરકટ રચ્યું


  • Published By :
  • Published Date : 2023-11-11 13:53:53

ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્યાત સુરતમાં ગુનાખોરી ઉત્તરોત્તર વધવાનો સિલસિલો જળવાઈ રહ્યો છે. સુરતમાંથી હત્યા, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સુરતના પલસાણામાં લૂંટ સાથે મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ગતરોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે શાળાના ક્લાર્કની થેયેલી હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પત્નીએ કાવતરું રચી પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી હતી. પોલીસને ગુમરાહ કરવા ચોરીનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું હતુ. પોલીસને ઘટના જોતા પહેલાથી જ શંકા ઉપજી રહી હતી. પોલીસે ઉલટ તપાસ શરૂ કરતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. 


શું છે સમગ્ર મામલો?


સુરત હત્યા કેસમાં સુરત રૂરલ પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘટનામાં પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કેસની વિગત એવી છે કે શિવાલિક બંગલોઝ નામની સોસાયટીમાં રહેત રાકેશ નાયક નામના 49 વર્ષીય યુવાનની હત્યા હરાયેલી હાલતમા લાશ મળી આવી હતી.આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી. જ્યાં તપાસ હાથ ધરતા લૂંટ ચલાવવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું હતું. જેને લઈને પોલીસે ઊંડી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પત્ની શ્વેતા દ્વારા જ હત્યાનું ષડયંત્ર રચી પતિનો કાંટો કાઢી નાંખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. હત્યારી પત્નીએ પતિને પ્રથમ ઉંધની દવા પીવડાવી હતી. બાદમાં પ્રેમી વિપુલ કહારને બોલાવ્યો હતો. જ્યાં પ્રેમી વિપુલે રાકેશ નાયકનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગ્રામ્ય પોલીસે પત્ની શ્વેતા અને પ્રેમી વિપુલ કહારની ધરપકડ કરી લીધી છે.




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!