સુરતના પલસાણામાં પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો, લૂંટનું તરકટ રચ્યું


  • Published By :
  • Published Date : 2023-11-11 13:53:53

ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્યાત સુરતમાં ગુનાખોરી ઉત્તરોત્તર વધવાનો સિલસિલો જળવાઈ રહ્યો છે. સુરતમાંથી હત્યા, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સુરતના પલસાણામાં લૂંટ સાથે મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ગતરોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામે શાળાના ક્લાર્કની થેયેલી હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પત્નીએ કાવતરું રચી પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી હતી. પોલીસને ગુમરાહ કરવા ચોરીનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું હતુ. પોલીસને ઘટના જોતા પહેલાથી જ શંકા ઉપજી રહી હતી. પોલીસે ઉલટ તપાસ શરૂ કરતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. 


શું છે સમગ્ર મામલો?


સુરત હત્યા કેસમાં સુરત રૂરલ પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘટનામાં પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કેસની વિગત એવી છે કે શિવાલિક બંગલોઝ નામની સોસાયટીમાં રહેત રાકેશ નાયક નામના 49 વર્ષીય યુવાનની હત્યા હરાયેલી હાલતમા લાશ મળી આવી હતી.આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી. જ્યાં તપાસ હાથ ધરતા લૂંટ ચલાવવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું હતું. જેને લઈને પોલીસે ઊંડી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પત્ની શ્વેતા દ્વારા જ હત્યાનું ષડયંત્ર રચી પતિનો કાંટો કાઢી નાંખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. હત્યારી પત્નીએ પતિને પ્રથમ ઉંધની દવા પીવડાવી હતી. બાદમાં પ્રેમી વિપુલ કહારને બોલાવ્યો હતો. જ્યાં પ્રેમી વિપુલે રાકેશ નાયકનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગ્રામ્ય પોલીસે પત્ની શ્વેતા અને પ્રેમી વિપુલ કહારની ધરપકડ કરી લીધી છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.