Suratમાં મહિલા PIની તબિયત ખરાબ, પોલીસ સ્ટેશનમાં ચઢે છે બોટલ છતાંય ફરજ નથી ચૂકતા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-09 13:34:20

પોલીસની વાત જ્યારે આપણા મનમાં આવે ત્યારે પોલીસની બનેલી નેગેટિવ છબી જ આપણા દિમાગમાં આવે... અનેક પોલીસકર્મીઓ એવા હોય છે જે લોકો સાથે દુર્વ્યવહાર કરતા હોય છે. ફરજ દરમિયાન લોકોને હેરાન કરતા હોય, અનેક કિસ્સાઓમાં લાંચ લેતા પણ ઝડપાતા હોય છે.. મુખ્યત્વે આવા જ ચહેરાઓ આપણને યાદ આવે, ખાખી પર લાગેલો કાળો રંગ જ આપણને દેખાય.. પરંતુ સુરતથી એક સુંદર તસ્વીર ખાખીની સામે આવી છે. 

પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈ કરાવી રહ્યા છે સારવાર 

મહિલા પીઆઈની તબિયત સારી ના હોવા છતાંય તે ફરજ પર આવે છે અને પોલીસ સ્ટેશનમાં સારવાર લઈ રહ્યા છે.  મહિલા પી.આઇ. મીનાબા ઝાલા.... પોલીસ સ્ટેશનમાં બોટલ ચઢે, ટેસ્ટ થાય અને ફરજ પણ નિભાવે છે..મેડિકલ ટીમ ત્યાં આવીને તેમના સ્વાસ્થ્યની તપાસ કરે છે..ગ્લુકોઝના બાટલા ચડાવી રહી છે. આવાં દૃશ્યો ગુજરાતમાં તમને ભાગ્યે જ જોવા મળશે. પોતાના કામ માટે એટલી તો વફાદારી છે કે, બીમાર હોવાછતાં ખડેપગે રહીને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. 



ખાખી વર્દીવાળાનો એક ચહેરો એ પણ હોય છે જ્યાં..

મહત્વનું છે કે ખાખી કપડાંવાળા કર્મચારી અથવા અધિકારી ક્યાંક લોકોને ન્યાય અપાવે છે. ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર કરે છે તો ક્યાંક ગુનેગારો ખાખી કપડાંને જોઈને ભાગતા હોય તેવાં દૃશ્યો પણ જોવા મળે છે. ત્યારે ખાખીનો અનોખો રંગ ભાગ્યે જ જોવા મળતો હોય છે...સવાલ એ ઉઠે છે કે શું PI મીનાબા ઝાલા પર કામનું એટલું બધું ભારણ હતું કે તેઓ મેડિકલ લીવ પણ લઈ શકે તેમ ન હતા?



ખાલી પડેલી વિગતોની વાત!

જો વાત કરીએ તો થોડા સમય પહેલા જ સરકારે હાઇકોર્ટ સમક્ષ પોલીસબેડામાં ખાલી પડેલી જગ્યાઓની વિગતો રજૂ કરી હતી. આ વિગતો મુજબ 31 માર્ચ, 2024ની સ્થિતિએ 28, 993 જગ્યા ખાલી છે. મંજૂર કરાયેલી જગ્યાઓમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. જોકે હાઇકોર્ટે નોંધ્યું હતું કે 31 માર્ચ, 2023 બાદ રાજ્ય સરકારે પોલીસમાં પ્રમોશન કે સીધી ભરતી યોજી નથી..... મહિલા પી.આઇ. મીનાબા ઝાલાના પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજમાં સારવારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે....ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.