Suratમાં મહિલા PIની તબિયત ખરાબ, પોલીસ સ્ટેશનમાં ચઢે છે બોટલ છતાંય ફરજ નથી ચૂકતા


  • Published By :
  • Published Date : 2024-09-09 13:34:20

પોલીસની વાત જ્યારે આપણા મનમાં આવે ત્યારે પોલીસની બનેલી નેગેટિવ છબી જ આપણા દિમાગમાં આવે... અનેક પોલીસકર્મીઓ એવા હોય છે જે લોકો સાથે દુર્વ્યવહાર કરતા હોય છે. ફરજ દરમિયાન લોકોને હેરાન કરતા હોય, અનેક કિસ્સાઓમાં લાંચ લેતા પણ ઝડપાતા હોય છે.. મુખ્યત્વે આવા જ ચહેરાઓ આપણને યાદ આવે, ખાખી પર લાગેલો કાળો રંગ જ આપણને દેખાય.. પરંતુ સુરતથી એક સુંદર તસ્વીર ખાખીની સામે આવી છે. 

પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈ કરાવી રહ્યા છે સારવાર 

મહિલા પીઆઈની તબિયત સારી ના હોવા છતાંય તે ફરજ પર આવે છે અને પોલીસ સ્ટેશનમાં સારવાર લઈ રહ્યા છે.  મહિલા પી.આઇ. મીનાબા ઝાલા.... પોલીસ સ્ટેશનમાં બોટલ ચઢે, ટેસ્ટ થાય અને ફરજ પણ નિભાવે છે..મેડિકલ ટીમ ત્યાં આવીને તેમના સ્વાસ્થ્યની તપાસ કરે છે..ગ્લુકોઝના બાટલા ચડાવી રહી છે. આવાં દૃશ્યો ગુજરાતમાં તમને ભાગ્યે જ જોવા મળશે. પોતાના કામ માટે એટલી તો વફાદારી છે કે, બીમાર હોવાછતાં ખડેપગે રહીને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. 



ખાખી વર્દીવાળાનો એક ચહેરો એ પણ હોય છે જ્યાં..

મહત્વનું છે કે ખાખી કપડાંવાળા કર્મચારી અથવા અધિકારી ક્યાંક લોકોને ન્યાય અપાવે છે. ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર કરે છે તો ક્યાંક ગુનેગારો ખાખી કપડાંને જોઈને ભાગતા હોય તેવાં દૃશ્યો પણ જોવા મળે છે. ત્યારે ખાખીનો અનોખો રંગ ભાગ્યે જ જોવા મળતો હોય છે...સવાલ એ ઉઠે છે કે શું PI મીનાબા ઝાલા પર કામનું એટલું બધું ભારણ હતું કે તેઓ મેડિકલ લીવ પણ લઈ શકે તેમ ન હતા?



ખાલી પડેલી વિગતોની વાત!

જો વાત કરીએ તો થોડા સમય પહેલા જ સરકારે હાઇકોર્ટ સમક્ષ પોલીસબેડામાં ખાલી પડેલી જગ્યાઓની વિગતો રજૂ કરી હતી. આ વિગતો મુજબ 31 માર્ચ, 2024ની સ્થિતિએ 28, 993 જગ્યા ખાલી છે. મંજૂર કરાયેલી જગ્યાઓમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. જોકે હાઇકોર્ટે નોંધ્યું હતું કે 31 માર્ચ, 2023 બાદ રાજ્ય સરકારે પોલીસમાં પ્રમોશન કે સીધી ભરતી યોજી નથી..... મહિલા પી.આઇ. મીનાબા ઝાલાના પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજમાં સારવારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે....ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.