સુરતમાં આમ આદમી પાર્ટીના વધુ 6 કોર્પોરેટરે ધારણ કર્યો કેસરિયો, હર્ષ સંઘવીએ કોર્પોરેટરોનું કર્યું સ્વાગત, ઈસુદાન ગઢવીએ સાધ્યું ભાજપ પર નિશાન!


  • Published By :
  • Published Date : 2023-04-15 13:27:12

ચૂંટણી દરમિયાન પાર્ટીઓમાં ભંગાણ પડતું હોય છે. રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા લોકો પક્ષપલટો કરી બીજા પાર્ટીની સાથે જોડાઈ જતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. સુરત આમ આદમી પાર્ટીના 6 જેટલા કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો છે અને ભાજપમાં સામેલ થઈ ગયા છે. હર્ષ સંઘવી દ્વારા આપના કોર્પોરેટરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અગાઉ પણ ચાર જેટલા કોર્પોરેટર ભાજપમાં સામેલ થયા હતા. જે બાદ આ સંખ્યા 10 જેટલી થઈ ગઈ છે.

      

6 કોર્પોરેટરોએ છોડ્યો આમ આદમી પાર્ટીનો સાથ!

સુરત આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે. આમ આદમી પાર્ટીના 6 જેટલા કોર્પોરેટર ભાજપમાં સામેલ થઈ ગયા છે. આપનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. તમામ કોર્પોરેટરોનું સ્વાગત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા કોર્પોરેટરો ચૂંટાયા હતા. પરંતુ આ અગાઉ આપના ચાર કોર્પોરેટરો ભાજપમાં સામેલ થઈ ગયા હતા જે બાદ ફરી એક વખત 6 જેટલા કોર્પોરેટરો ભાજપમાં સામેલ થયા છે. જે  કોર્પોરેટરોએ આપનો છેડો ફાડ્યો છે તેમાં સ્વાતિ ક્યાડા, નિરાલી પટેલ, ધર્મેન્દ્ર વાવલિયા, અશોક ધામી, કિરણ ખોખાની અને ઘનશ્યામ મકવાણાનો સમાવેશ થાય છે.

 

ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે સાચી દિશા અપનાવીને ભાજપમાં જોડાયા - હર્ષ સંઘવી

કોર્પોરેટરો ભાજપમાં જોડાયા તે બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશહિત અને રાજ્યહિતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે સાચી દિશા અપનાવીને ભાજપમાં જોડાયા છે. ભાજપની વિચારધારાને જોઈને 10-10 કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપ્યું છે અને ભાજપના પરિવારમાં જોડાયા છે. 


 

આમ આદમી પાર્ટી ખતમ થઈ જાય તેવું ષડયંત્ર રચ્યું છે - ઈસુદાન ગઢવી 

કોર્પોરેટરોના પક્ષપલટા બાદ રાજનીતિ ગરમાવી સ્વભાવિક વાત હતી. આ વાતને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. આ મામલે નિવેદન આપતા કહ્યું કે મંત્રી પ્રફુલ્લભાઈના ઘરે મીટીંગ થઈ હતી. તમામને 50થી 75 લાખ આપવામાં આવ્યા છે. ધાક ધમકી અને લાલચ આપવામાં આવી છે. ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું છે. તે સિવાય આ મામલે આપના કોર્પોરેટર દીપ્તિ સાકરિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. આરોપ લગાવતા તેમણે કહ્યું કે પ્રફુલ પાનસેરિયાએ અમને તેમના ગાંધીનગરના બંગલામાં બોલાવ્યા હતા. ત્યાં બેસીને વાત કરવામાં આવી હતી કે તમને આટલા રુપિયા આપવામાં આવશે, તમે ભાજપ સાથે જોડાઈ જાઓ. 


ચૂંટણી સમયે અનેક પાર્ટીઓમાં થતાં હોય છે ભંગાણ!

મહત્વનું છે કે આવનાર સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી સમયે અનેક પાર્ટીઓમાં ભંગાણ થવાની સંભાવનાઓ વધતી જાય છે ત્યારે કોણ કઈ પાર્ટીનો છેડો ફાડે છે તે જોવું રહ્યું.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.