સુરતમાં આમ આદમી પાર્ટીના વધુ 6 કોર્પોરેટરે ધારણ કર્યો કેસરિયો, હર્ષ સંઘવીએ કોર્પોરેટરોનું કર્યું સ્વાગત, ઈસુદાન ગઢવીએ સાધ્યું ભાજપ પર નિશાન!


  • Published By :
  • Published Date : 2023-04-15 13:27:12

ચૂંટણી દરમિયાન પાર્ટીઓમાં ભંગાણ પડતું હોય છે. રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા લોકો પક્ષપલટો કરી બીજા પાર્ટીની સાથે જોડાઈ જતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. સુરત આમ આદમી પાર્ટીના 6 જેટલા કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દીધો છે અને ભાજપમાં સામેલ થઈ ગયા છે. હર્ષ સંઘવી દ્વારા આપના કોર્પોરેટરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અગાઉ પણ ચાર જેટલા કોર્પોરેટર ભાજપમાં સામેલ થયા હતા. જે બાદ આ સંખ્યા 10 જેટલી થઈ ગઈ છે.

      

6 કોર્પોરેટરોએ છોડ્યો આમ આદમી પાર્ટીનો સાથ!

સુરત આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે. આમ આદમી પાર્ટીના 6 જેટલા કોર્પોરેટર ભાજપમાં સામેલ થઈ ગયા છે. આપનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. તમામ કોર્પોરેટરોનું સ્વાગત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા કોર્પોરેટરો ચૂંટાયા હતા. પરંતુ આ અગાઉ આપના ચાર કોર્પોરેટરો ભાજપમાં સામેલ થઈ ગયા હતા જે બાદ ફરી એક વખત 6 જેટલા કોર્પોરેટરો ભાજપમાં સામેલ થયા છે. જે  કોર્પોરેટરોએ આપનો છેડો ફાડ્યો છે તેમાં સ્વાતિ ક્યાડા, નિરાલી પટેલ, ધર્મેન્દ્ર વાવલિયા, અશોક ધામી, કિરણ ખોખાની અને ઘનશ્યામ મકવાણાનો સમાવેશ થાય છે.

 

ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે સાચી દિશા અપનાવીને ભાજપમાં જોડાયા - હર્ષ સંઘવી

કોર્પોરેટરો ભાજપમાં જોડાયા તે બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશહિત અને રાજ્યહિતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે સાચી દિશા અપનાવીને ભાજપમાં જોડાયા છે. ભાજપની વિચારધારાને જોઈને 10-10 કોર્પોરેટરોએ આપમાંથી રાજીનામું આપ્યું છે અને ભાજપના પરિવારમાં જોડાયા છે. 


 

આમ આદમી પાર્ટી ખતમ થઈ જાય તેવું ષડયંત્ર રચ્યું છે - ઈસુદાન ગઢવી 

કોર્પોરેટરોના પક્ષપલટા બાદ રાજનીતિ ગરમાવી સ્વભાવિક વાત હતી. આ વાતને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. આ મામલે નિવેદન આપતા કહ્યું કે મંત્રી પ્રફુલ્લભાઈના ઘરે મીટીંગ થઈ હતી. તમામને 50થી 75 લાખ આપવામાં આવ્યા છે. ધાક ધમકી અને લાલચ આપવામાં આવી છે. ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું છે. તે સિવાય આ મામલે આપના કોર્પોરેટર દીપ્તિ સાકરિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. આરોપ લગાવતા તેમણે કહ્યું કે પ્રફુલ પાનસેરિયાએ અમને તેમના ગાંધીનગરના બંગલામાં બોલાવ્યા હતા. ત્યાં બેસીને વાત કરવામાં આવી હતી કે તમને આટલા રુપિયા આપવામાં આવશે, તમે ભાજપ સાથે જોડાઈ જાઓ. 


ચૂંટણી સમયે અનેક પાર્ટીઓમાં થતાં હોય છે ભંગાણ!

મહત્વનું છે કે આવનાર સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી સમયે અનેક પાર્ટીઓમાં ભંગાણ થવાની સંભાવનાઓ વધતી જાય છે ત્યારે કોણ કઈ પાર્ટીનો છેડો ફાડે છે તે જોવું રહ્યું.     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!