TET-TAT ઉમેદવારોના સર્મથનમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, સાંભળો કરાર આધારિત ભરતીને લઈ શું કહ્યું તેમણે?


  • Published By : Admin
  • Published Date : 2023-09-14 17:04:09

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો માગ કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. અનેક વખત રજૂઆત કરવાનો પ્રયત્ન પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ દર વખતે તેમને ગાંધીનગર પહોંચતા પહેલા રોકી દેવામાં આવતા હતા. ઉમેદવારોના સમર્થનમાં અનેક ધારાસભ્યો તેમાં પણ ભાજપના ધારાસભ્યો આવ્યા છે ત્યારે હવે ઉમેદવારોના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તે રજૂઆત તેમણે કરી હતી. 


ભાજપના અનેક ધારાસભ્યોએ લખ્યો શિક્ષણમંત્રીને પત્ર  

વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકોનું અલગ એક વિશેષ સ્થાન રહેલું હોય છે. ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ દિન પ્રતિદિન લથડતી જઈ રહી છે. શિક્ષકોની ઘટ અનેક શાળાઓમાં વર્તાઈ રહી છે. ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી ટેટ ટાટના ઉમેદવારોની માગ છે. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં અનેક ધારાસભ્યો આવ્યા છે. ભાજપના અનેક ધારાસભ્યોએ શિક્ષણ મંત્રીને પત્ર લખી આ મુદ્દે રજૂઆત કરી છે. તે ઉપરાંત કોંગ્રેસના પણ અનેક ધારાસભ્યો ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. 


શક્તિસિંહ ગોહિલ આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

થોડા સમય પહેલા કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઉમેદવારો માટે આંદોલન કરવાની જાહેરાત કરી હતી તો યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. ત્યારે પ્રતિદિન આ જ્ઞાન સહાયકનો મુદ્દો ઉગ્ર બની રહ્યો છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ કરાર આધારિત ભરતી નાબુદ થાય તેવી રજૂઆત કરી હતી, તેવી માગ કરી હતી. મહત્વનું છે કે ઉમેદવારો ઘણા સમયથી આ માગ કરી રહ્યા હતા. સત્તાધીશોને અનેક વખત આ અંગે રજૂઆત કરી પરંતુ તેમની માગ સ્વીકારવામાં આવતી ન હતી. ત્યારે જોવું એ રહ્યું છે કે ઉમેદવારોની આ લડાઈ ક્યાં સુધી જશે તે એક પ્રશ્ન છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.