પાકના બલુચિસ્તાનમાં ટ્રેન થઈ “હાઇજેક”!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-11 21:43:39

પાકિસ્તાનથી એક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે , તેના બલુચિસ્તાન પ્રાંતમાં એક ટ્રેનમાં સ્થિત ૧૨૦ લોકોનું અપહરણ કરવામાં આવ્યું  છે.  આ સમગ્ર હુમલાની જવાબદારી બલુચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે . આ હુમલાથી બલુચિસ્તાન પ્રાંતમાં અલગાવવાદી  તાકાતોનું પ્રભુત્વ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે . 

આપણો પાડોશી દેશ પાકિસ્તાન . તેનું એક રાજ્ય જેનું નામ છે બલુચિસ્તાન. આ પ્રાંતમાં અવારનવાર પાકિસ્તાની સેના અને સત્તાધીશોની સામે હિંસક દેખાવો થતા રહે છે એટલુંજ નહિ આ અલગાવવાદી તાકાતો આતંકવાદી હુમલા પણ કરે છે . 

હવે જે સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તે જાણીને તમે ચોંકી જશો કેમકે , બલુચિસ્તાન લિબરેશન આર્મીએ ફાયરિંગ કરીને જાફર એક્સપ્રેસ નામની ટ્રેનમાં રહેલા આશરે અંદાજે ૧૨૦ જેટલા યાત્રીઓનું અપહરણ કર્યું છે . સમાચાર એ પણ પ્રાપ્ત થઇ રહ્યા છે કે ,   પાકિસ્તાની સેના સાથે અથડામણમાં ૧૧ જવાનોના મોત થયા છે . 

આ અલગાવવાદી સંગઠને એવી પણ ધમકી આપી છે કે જો પાકિસ્તાની સેના નઈ હટે તો , અમે બધાજ બંધકોને મારી નાખીશુ. 

સ્થાનિક મીડિયાએ આ સમાચારને પુષ્ટિ આપતા કહ્યું છે કે , જેવી જ આ જાફર એક્સપ્રેસ બલુચિસ્તાનની રાજધાની કવેટાથી નીકળી , તેવું જ તેનું અપહરણ કરવામાં આવ્યું છે . 

બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન પર કોઈ અંતરયાળ  વિસ્તારમાં ફાયરીંગ કર્યું છે , આ પછી તેને પાટા પરથી ઉતારી દેવામાં આવી છે . 

પાકિસ્તાનના  રેલવે મંત્રાલય મુજબ આ જાફર એક્સપ્રેસના ૯ કોચ અને તેમાં રહેલા ૪૫૦ પેસેન્જર પાસે કોઈ જ સંપર્ક સ્થપાયો નથી .  

જોકે પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે , આ ટ્રેનને આતંકવાદીઓના કબ્જામાંથી છોડાવવા માટે એક ઓપરેશન શરુ કરી દેવામાં આવ્યું છે . વાત કરીએ આ જાફર એક્સપ્રેસની તો તે , બલૂચિસ્તાનની રાજધાની કવેટા શહેરથી  , ખૈબર પખ્તુન્વાના પેશાવર સુધી ચાલે છે . 

બલુચિસ્તાન લિબરેશન ગ્રુપ આ એક અલગાવવાદી સંગઠન છે જે , બલુચિસ્તાનની આઝાદીની માંગણી કરતુ રહે છે .

વાત બલુચિસ્તાન પ્રાંતની તો તેની સરહદ ઈરાન અને અફઘાનિસ્તાન સાથે લાગે છે . ખનીજ સંસાધનોથી ભરપૂર રાજ્ય છે. ત્યાં અવારનવાર પાકિસ્તાનથી આઝાદ થવાના આંદોલન થતા રહે છે. આ વિસ્તારમાં રહેતા બલુચ લોકો સતત પાકિસ્તાની સરકાર અને સેના તરફથી ઉપેક્ષાનો સામનો કરતા રહે છે . 

હાલના સમયમાં પાકિસ્તાનની ચાઈના પર નિર્ભરતા વધતી જાય છે . સાથે જ અફઘાનિસ્તાનની નવી તાલિબાની સરકારે તો પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી . તેની આર્થિક પાયમાલીના લીધે અલગાવવાદી તાકાતો પાકિસ્તાનમાં ખુબ જ સક્રિય બની રહી છે. થોડા સમય પેહલા , પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એટલેકે (POK ) માં આઝાદી માટે હિંસક આંદોલનો થયા હતા . 

તો તમારું શું કેહવું છે બલુચિસ્તાનમાં થઇ રહેલા આ અલગાવવાદી આંદોલન પર કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો .



પાકિસ્તાન હમણાં ઘણા સમયથી અલગાવવાદી તાકાતોનો સામનો કરી રહ્યું છે . થોડાક સમય પેહલા અફઘાનિસ્તાને પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરવી પડી હતી અને હવે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન હાઇજેક કરી .

ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .