રાજકોટમાં આધેડ બન્યા શ્વાનનો શિકાર! પાછળથી આવીને શ્વાને પગ પર ભર્યું બચકું, વૃદ્ધને કર્યા ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2023-04-08 16:07:06

રખડતાં પશુ અને રખડતાં શ્વાનનો આતંક સતત વધી રહ્યું છે. અનેક લોકોને રખડતાં શ્વાનને કારણે ઈજાઓ પહોંચતી હોય છે અથવા તો ઘણા કિસ્સાઓ એવા હોય છે જેમાં રખડતાં શ્વાનને કારણે મૃત્યુ પણ લોકો પામતા હોય છે. થોડા દિવસો પહેલા બે બાળકો પર રખડતાં શ્વાને હુમલો કર્યો હતો. એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાઓથી આ કિસ્સા સામે આવ્યા હતા ત્યારે આજે ફરી એક વખત રખડતાં શ્વાનના આંતક દ્વારા કરવામાં આવેલા હુમલાની ઘટના સામે આવી છે


રસ્તાથી પસાર થઈ રહેલા વૃદ્ધને શ્વાને ભર્યું બચકું

રાજકોટમાં શ્વાને વૃદ્ધ પર હુમલો કર્યો હતો. 58 વર્ષીય વૃદ્ધને શ્વાને શિકાર બનાવ્યો છે. શરાફી મંડળ તરફ જઈ રહેલા વૃદ્ધને પાછળથી આવીને શ્વાને બચકું ભરી લીધું હતું. જેને કારણે વૃદ્ધના પગના ભાગમાં ઈજા પહોંચી હતી અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. 


શ્વાનના બચકા ભર્યાના આટલા કેસ નોંધાયા 

મહત્વનું છે કે દિવસેને દિવસે શ્વાન દ્વારા થતાં હુમલાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. જો ડોગ બાઈટના આંકાડાની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં 1380 જેટલા કેસ નોંધાયા હતા, મે મહિનામાં 1300 જેટલા કેસ નોંધાયા છે, જૂન મહિનામાં 600 થી વધુ કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં 500 જેટલા કેસ, સપ્ટેમ્બરમાં 580 જેટલા કેસ, ઓક્ટોબરમાં 500 જેટલા કેસ, નવેમ્બરમાં 590 જેટલા કેસ નોંધાયા છે.


ક્યાં સુધી નિર્દોષ લોકો બનશે હુમલાનો શિકાર? 

રાજ્યમાં થોડા સમયથી રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતાં ઢોરે અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે ઉપરાંત અનેક લોકોના મોત પણ આને કારણે થયા છે. રખડતાં ઢોરથી લોકોને શાંતિ મળી ન હતી ત્યારે તો રખડતાં શ્વાનના આતંકથી ઝઝુમવા લોકો મજબૂર બન્યા છે. પાટણથી રખડતાં આખલાના આતંકના સમાચાર સામે આવ્યા છે. બાઈકને આખલાએ ટક્કર મારી દીધી હતી. ત્યારે પ્રશ્નએ છે કે લોકોને રખડતાં ઢોર અને શ્વાનની સમસ્યાથી મુક્તિ ક્યારે મળશે? ક્યાં સુધી નિર્દોષ વ્યક્તિઓ તેમના હુમલાનો ભોગ બનતી રહેશે?   



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.