Rajkotમાં Shaktisinh Gohilએ કોંગ્રેસની ખામીનો સ્વીકાર કરતા આપ્યું મોટુ નિવેદન, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-20 14:24:52

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત લોકસભાની ચૂંટણી માટે મતદાન થઈ પૂર્ણ થઈ ગયું છે.. આ વખતની ચૂંટણીમાં અનેક એવી બેઠકો હતી જ્યાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળી હતી. કોણ જીતશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે અને આ બધા વચ્ચે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે જેમાં બૂથ મેનેજમેન્ટને લઈ વાત કરી રહ્યા છે. બૂથ મેનેજમેન્ટમાં કોઈ કચાશ રહી ગઈ છે તેવી વાત તેમણે કરી હતી.. 

કોંગ્રેસના નેતાઓને 14-15 બેઠકો જીતવાનો આશાવાદ     

દેશમાં આજે પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે... ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે.. ગુજરાતના પરિણામ પર સૌ કોઈની નજર રહેતી હોય છે.. ગુજરાતની 26 લોકસભા બેઠકો હાલ ભાજપ પાસે છે અને આ વખતે પણ તમામ બેઠકો ભાજપને મળશે તેવો આશાવાદ ભાજપ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એક તરફ ગુજરાતની તમામ બેઠકો ભાજપ પાંચ લાખની લીડથી જીતશે તેવી વાત ભાજપ દ્વારા કરાઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા એવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે કે 14થી 15 જેટલી બેઠકો કોંગ્રેસને મળશે. 


રાજકોટ પહોંચ્યા હતા શક્તિસિંહ ગોહિલ 

નિષ્ણાંતો માને છે કે પ્લાનિંગ સાથે ભાજપ આગળ વધે છે જ્યારે કોંગ્રેસમાં સંગઠનની કમી છે.. આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી પછી પ્રથમવાર શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા હતા.. જ્યારે તેમની સાથે રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી પણ હાજર હતા.. અને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા..., 


આ બેઠકો રસપ્રદ છે કારણ કે... 

મહત્વનું છે કે અનેક બેઠકો ગુજરાતની એવી હતી જ્યાં ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે ટફ ફાઈટ હતી.. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની સામે ડો, રેખાબેન ચૌધરી તો ભરૂચમાં મનસુખ વસાવાની સામે ચૈતર વસાવા.. આણંદમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અમિત ચાવડા અને ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ.. તે સિવાય અનંત પટેલની ટક્કર સામે ધવલ પટેલ સામે થવાની છે. દરેક પાર્ટી જીતનો આશાવાદ વ્યક્ત કરી રહી છે પરંતુ પરિણામ ચોથી જૂનના રોજ ખબર પડશે કે ક્યાં કોની જીત થઈ છે.. 




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.