આવા ક્રુર ચોર વિશે તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 11:02:58

આવી ક્રૂરતા !! ઝાંઝર માટે વૃદ્ધાના પગ કાપી નાખ્યા 

લોકોની ક્રૂર માનસિકતા છતી કરતા કિસ્સાઓ દિન-પ્રતિદિન વધતા જાય છે. એવામાં વધુ એક ઘટના રાજસ્થાનથી જોવા મળી છે. રવિવારે  રાજસ્થાનના જયપુરથી હ્રદય કંપાવી દે એવી ઘટના સામે આવી છે. જયપુરના મીના કોલોનીમાં પોતાની પુત્રી સાથે જમુના દેવી નામના વૃદ્ધા રહે છે. રવિવારે વહેલી સવારે ચોર તેમના ઘરમાં ઘૂસી ગયો હતો. ચોર જમુના દેવીનું મોઢું દબાવી ઢસડીને બાથરૂમમાં લઇ ગયા હતા અને તેમના પગ કાપીને ચાંદીની ઝાંઝર લઈને ફરાર થઈ ગયા હતા.


વૃદ્ધાની ઉંમર 100 વર્ષથી વધુ છે

સમગ્ર મામલે પોલીસએ જણાવ્યુ કે, સવારના 5 વાગ્યાની આસપાસ આરોપીઓ ઘરમાં ઘૂસી જમુના દેવીના પગ કાપી નાખ્યા હતા. ત્યારબાદ ચાંદીની બંગડી પણ લૂંટી લીધી હતી. આરોપીઓની ક્રૂરતા એટલેથી અટકી નહોતી ,આરોપીઓ જમુના દેવીના ગળામાં રહેલ હારને લૂંટવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ આવી જશે એ ડરથી આરોપીઓ નાસી ગયા હતા. સવારે 6 વાગ્યાની આસપાસ જયારે તેમની પુત્રી જગ્યા ત્યારે તેમણે જોયું કે જમુના દેવી તેમના પલંગ પર નથી ,ત્યારે તેમને જમુના દેવીને બાથરૂમમાં બેભાન હાલતમાં જોયા. તેમણે તાત્કાલિક જમુના દેવીને હોસ્પિટલમાં ખસેડયા હતાં, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.