Rajasthanમાં Priyanka Gandhiએ ઉઠાવ્યો Manipurનો મુદ્દો, PM Modi અને World Cup મેચને લઈ કહી આ વાત, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-11-23 10:26:57

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર પોતાના અંતિમ તબક્કાએ પહોંચ્યો છે. 25 નવેમ્બરે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મતદાતાઓને રિઝવવા માટે રાજકીય પાર્ટી તમામ પ્રયાસો કરી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટી દ્વારા એકબીજા પર શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે. જનસભામાં જે પ્રમાણે પાર્ટીના દિગ્ગજ નેતાઓ શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે તે દર્શવાને છે કે રાજનીતિ કેટલા નીચલા સ્તરે પહોંચી ગઈ છે. રાહુલ ગાંધી આડકતરી રીતે પીએમ મોદીને પનૌતી કહે છે તો પીએમ પણ રાહુલ ગાંધીને આડકતરી રીતે મુર્ખોના સરદાર કહ્યા હતા. આ બધા વચ્ચે પ્રિયંકા ગાંધીએ જનસભા દરમિયાન મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

મણિપુર મુદ્દાને પ્રિયંકા ગાંધીએ રાજસ્થાનમાં ઉઠાવ્યો!

અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલની મેચ રમાઈ હતી. મેચમાં ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ હાર્યા બાદ સોશિયલ મીડિયા પર પનૌતી શબ્દ ટ્રેન્ડ થઈ રહ્યો હતો. આ શબ્દને લઈ રાજનીતિ ગરમાઈ છે તે તો જાણીએ છીએ. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. અલગ અલગ મુદ્દાઓ પર તેઓ બીજી પાર્ટી પર નિશાન સાધે છે. ત્યારે મણિપુરનો મુદ્દો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યો હતો. એક જનસભા દરમિયાન પ્રિયંકા ગાંધીએ મણિપુરને લઈ વાત કરી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મણિપુર આપણા દેશનો ભાગ છે. ત્યાં ભયંકર હિંસા થઈ રહી છે. અનેકો ઘર બળી રહ્યા છે પરંતુ પીએમ મોદી ત્યાં નથી ગયા. ત્યારે જ્યાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ હતી તો ત્યાં પીએમ મોદી સ્ટેડિયમ પહોંચી ગયા. 


મણિપુરમાં ભડકેલી હિંસા ક્યારે શાંત થશે? 

મહત્વનું છે કે મણિપુરમાં હિંસા ઓછું થવાનું નામ નથી લઈ રહી. અનેક મહિનાઓથી ત્યાંની પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ ખરાબ થઈ હી છે. મણિપુર મુદ્દે કેન્દ્ર સરકાર મૌન દેખાઈ રહી છે. કડક કાર્યવાહી નથી કરવામાં આવી રહી. વિપક્ષ દ્વારા અનેક વખત સવાલ પૂછવામાં આવ્યો છે કે શા માટે પીએમ મોદી હજી સુધી એકવાર પણ મણિપુર નથી ગયા? મણિપુર મુદ્દે પીએમ મોદી તેમજ કેન્દ્રીય મંત્રીઓ બોલવાનું ટાળી રહ્યા છે. ભડકે બળેલું મણિપુર ક્યારે શાંત થશે તે એક પ્રશ્ન છે.  



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.