પોરબંદરમાં અનૈતિક સંબંધોને સંતોષવા પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું કાસળ કાઢ્યું, ત્રણની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-09 18:54:46

 પોરબંદર શહેરના છાયા દેવજીચોકના રહેણાંક મકાનમાં રાજુ ઓડેદરા નામના યુવાનની હત્યાનો ભેદ કમલાબાગ પોલીસે ગણતરી કલાકોમાં ઉકેલી આરોપીઓની ધરપકડ કરી છે. પ્રેમ સબંધમાં પતિનો કાંટો કાઢવા હત્યા કરવામાં આવી હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનના છાંયા દેવજીચોક વિસ્તારમાં રહેતા રાજુભાઈ ઓડેદરાની હત્યા થઈ હતી.આ બાબતે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, રાજુભાઈ ઓડેદરાની પત્ની કૃપા ઉર્ફે કપુનો પ્રેમ સબંધ રાજકોટના નિતેષ વેકરીયા જોડે ચાલી રહ્યો હતો. નિતેષ વેકરીયા, કૃપા અને કૃપાનો ભાઈ વિશાલ સામાણીએ રાજુ ઓડેદરાની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું.અને રાજુ ઓડેદરાની હત્યાને અંજામ આપ્યો હતો.આ મામલે કમલાબાગ સ્ટેશનમાં કલમ 302 હેઠળ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવવામાં આવ્યો છે. અને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.


શું હતો સમગ્ર મામલો?


પોરબંદર શહેરના છાંયા દેવજી ચોકમાં રહેતા રાજુ ઓડેદરાના આઠ વર્ષ પૂર્વે છાયા રઘુવંશી સોસાયટીમાં રહેતી કૃપાલી ઉર્ફે કપૂ સાથે રાજુ ઓડેદરા એ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન સાત વર્ષની દીકરી કિંજલ છે. છેલ્લા સાત આઠ મહિનાથી પુત્રવધુ કૃપાલી ઉર્ફે કપૂ દીકરી કિંજલ સાથે પતિ રાજુથી અલગ પોતાના પ્રેમી નિતેશ વેકરીયા સાથે રાજકોટ ખાતે રહી હતી. તેમજ તેના છ મહિના બાદ કૃપાલી દીકરી કિંજલ સાથે ફરી રાજુ પાસે રહેવા આવી હતી અને 15 દિવસ પછી પાછી રાજકોટ ખાતે નિતેશ વેકરીયા સાથે રહેવા જતી રહી હતી.જેથી રાજુ કોઈ પણ રીતે પત્ની કૃપાલીને ઘરે લાવવા માંગતો હતો. રાજૂની પત્ની કૃપાલીને ઘરે લાવવામાં આવ્યા બાદ  કૃપાલીએ કાવતરું ઘડ્યું હતું અને તેના પ્રેમી નિતેશ વેકરિયા અને કૃપાલીના ભાઈ વિશાલ સામાણી સાથે મળીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.