પોરબંદરમાં ઘરની સામે શૌચાલય હોવાથી સ્થાનિકોને પડતી મુશ્કેલી, રજૂઆત બાદ જે થયું તે...


  • Published By :
  • Published Date : 2023-07-20 15:22:48

પોરબંદર, બાપુનું જન્મસ્થળ, વર્ષો જતા લોહીયાળ અને માફીયાગીરી વાળી રાજનીતિનું સાક્ષી અને છેલ્લા કેટલાય સમયથી આજુબાજુનું બધું વિકસીત થઈ ગયા પછી પણ પોતે એકલું અટુલું મહેસુસ કરતું શહેર. આ શહેરને કુદરત અને ભુગોળે બધું જ આપ્યું છે. પણ સ્થાનિક રાજકારણ અને પાલીકાનો અણઘડ વહિવટ કેટકેટલું આપવાનું ચુકી જતો હશે કે જેના કારણે સ્થાનિકો કલેક્ટરની સાથે રહીને નગરપાલીકાના પ્રમુખને ઘેરી રહ્યા છે.

 

કલેક્ટરના મનાઈ હુકમ બાદ પણ બાંધકામ નથી રોકાયું

વાત શરૂ થાય છે ખીજળી પ્લોટથી, પાલિકાએ ઝાડી-ઝાંખરા હટાવીને ત્યાં જાહેર શૌચાલય બનાવવાનું શરૂ કર્યું. બાપુનું શહેર છે, શૌચાલય અને સ્વચ્છતાથી કોઈને પણ શું વાંધો હોઈ શકે. પણ એ શૌચાલયનું બાંધકામ એ રીતે થઈ રહ્યા હતા જેથી વર્ષોથી ત્યાં વસતા સ્થાનિકોને ભાગે દરવાજો ખોલે તો શૌચાલય અને અપેક્ષીત રીતે જ એની જાળવણીના અભાવે ફેલાતી ગંદકી અને દુર્ગંધ જ ભાગમાં આવે. અને એટલે જ શરૂ થયો પાલિકા અને સ્થાનિકોનો સંઘર્ષ. સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી. સોમવારે કલેક્ટરે સ્થિતિ સમજીને મનાઈ હુકમ આપ્યો તો પોરબંદર પાલિકાના પ્રમુખનો ઈગો હર્ટ થયો એવું સ્થાનિકોએ કહ્યું. લોકોએ ત્યાં સુધી કહ્યું કે પોરબંદરમાં સ્થિતિ એ છે કે કુછ ભી કરને કા જયકાંત શીકરે કા ઈગો નહીં હર્ટ કરને કા. અને એના ચક્કરમાં કલેક્ટરના મનાઈ હુકમ પછી પણ બાંધકામ ચાલુ જ કરી દેવાયું. 

ભાજપ પ્રત્યે લોકોની નારજગી હતી

આ વિષયમાં સ્થાનિકોએ ભેગા થઈને કન્ટેમ્ટપની ફરીયાદ તો આપી છે પણ સૌથી રસપ્રદ વાત છે પોરબંદરના રાજનીતિક સમિકરણ, એવું કહેવાયુ કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પોરબંદરથી બાબુ બોખીરીયાના હારવાનું કારણ પણ પાલીકાના પ્રમુખ સરજૂ કારીયાનો વહિવટ અને એના કારણે લોકોની ભાજપ પરની નારાજગી હતી, આ વખતે પણ આ મામલે ખુલીને લડી રહેલા પોરબંદર ભાજપ યુવા મોરચાના નેતા છે. આમ ભાજપની જ યુવા પાંખ ભાજપની જ સામે લડે એ ચિત્રમાં સંગઠન અને સરકાર શું નિર્ણય કરે છે એ જોવાનું રહેશે.

કલેક્ટર અને નગરપાલિકાના પ્રમુખ વચ્ચે ચાલતો ઈગો

હજી સુધી અનેક વખત તમે એવું તો સાંભળ્યુ હશે કે અધિકારીઓ નેતાનું નથી ગાંઠતા, પણ નેતા માત્ર અહંકારના કારણે અધિકારીના કરેલા નિર્ણયની સામે પડીને એને ગણકારવાનું જ બંધ કરી દે તો...? સત્તામાં કલેક્ટર અને નગરપાલિકાના પ્રમુખ વચ્ચેનો આ સંઘર્ષ પોરબંદરના લોકોને ભોગવવો પડી રહ્યો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.