Parliamentમાં BJP નેતા Meenakshi Lekhiએ કહ્યું કેમ પડે છે EDની રેડ? સાંભળો એ નિવેદન


  • Published By :
  • Published Date : 2023-08-04 09:24:13

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સાંસદો દ્વારા આપવામાં આવતું નિવેદન સમાચારોની હેડલાઈન્સ બની જતું હોય છે. અમિત શાહે જે કાલે સંસદમાં ભાષણ આપ્યું તે વિશે ઘણી ચર્ચા થઈ. આ બધા વચ્ચે જ્યારે દિલ્હી વટહુકમ વિધેયકની ચર્ચા થઈ રહી ત્યારે ભાજપના સાંસદ મિનાક્ષી લેખી એવું કંઈક બોલી ગયા કે તેની ચર્ચા ચારેયકોર થવા લાગી છે. પોતાના ભાષણ દરમિયાન EDની વાતો થઈ તો તેમણે કહ્યું કે શાંત રહો નહીં તો તમારા ઘરે ED આવી જશે. મતલબ કે તમારા ઘરે EDના દરોડા પડશે.  આ વાક્ય બોલ્યા પછી તેમણે કહ્યું કે આ મજાક હતું. પછી તે પોતાના સંબોધનમાં વ્યસ્ત થઈ ગયા. 

અમિત શાહે કેજરીવાલ સરકાર પર કર્યા હતા પ્રહાર 

દિલ્હીમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર વચ્ચે ચાલતા ઘમાસાણ વિશે આપણે સૌ જાણીએ છીએ. ગઈકાલે જ દિલ્હીની આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા પોતાના નિવેદનમાં અમિત શાહે કહ્યું કે 2015 પછી દિલ્હીમાં એવી સરકાર આવી છે જેનો લક્ષ્ય માત્ર ઝઘડવાનું છે. ત્યારે સંસદમાં બીજેપીના નેતાએ પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધી કેજરીવાલ સરકાર પર પ્રહાર કર્યા છે. પોતાના નિવદેનમાં મિનાક્ષી લેખીએ કહ્યું કે જ્યારે દિલ્હીની જનતાને અસુવિધા પડે છે ત્યારે જનતા તેમનો સંપર્ક કરે છે ન તો આમ આદમી પાર્ટીનો. 

આમ આદમી પાર્ટીએ મિનાક્ષી લેખીના નિવેદન પર કર્યો કટાક્ષ

મિનાક્ષી લેખીના EDવાળા નિવેદન પર વિપક્ષી પાર્ટીઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  આમ આદમી પાર્ટીએ તેમના નિવેદનને ટ્વિટ કરી લખ્યું છે કે સત્તાના નશામાં ચૂર મોદી સરકારની મંત્રીએ સંસદમાં વિપક્ષી સાંસદોને ખુલ્લેઆમ EDના દરોડા પડવાની ધમકી આપી. આ ધમકી ભરેલુ નિવેદન આ વાતને સ્પષ્ટ કરી રહ્યું છે કે પીએમ મોદી, વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરવા માટે EDની રેડનો ખોટો ઉપયોગ કરે છે. કોંગ્રેસના નેતાઓએ પણ તેમના નિવેદનને ટ્વિટ કરી લખ્યું કે આ ચેતાવણી છે કે ધમકી?


લોકોના મનમાં આવ્યો હશે આ વિચાર 

આ નિવેદનને સાંભળી લોકોના મનમાં આ જ વાત આવતી હશે કે વાત તો સાચી છે, જ્યારે જ્યારે કોઈ સરકાર વિરૂદ્ધ બોલે છે, કોઈ વિદ્રોહ કરે છે તો તેમના ઘરમાં EDની રેડ પડે છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં આ વાત સાચી પડતી હોય તેવું લાગે છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.