Gyansahayakના વિરોધમાં Congressએ વ્યારામાં તો AAPએ દાંડીથી કાઢી રેલી, TET-TATના ઉમેદવારોના સમર્થનમાં આવી રાજકીય પાર્ટી


  • Published By :
  • Published Date : 2023-10-13 15:58:39

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્ કરવામાં આવે તેવી માગ ઉમેદવારોની છે. અલગ અલગ રીતે તેમજ પોતાની માગને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ મૃદ્દુ ગણાતી સરકારે આ વાતમાં પોતાની મક્કમતા દર્શાવી છે. સરકાર આ નિર્ણયને નથી બદલવા માગતી તેવું લાગી રહ્યું છે. શિક્ષકોની કાયમી ભરતી કરવા માટે તેમજ જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે ઉમેદવારો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.

 

ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આવી કોંગ્રેસ તેમજ આપ 

ગુજરાતના શિક્ષણની શું પરિસ્થિતિ છે તે આપણે જાણીએ છીએ. પ્રતિદિન શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે જે એક દુખદ વાત છે. શિક્ષકોની ઘટ શાળામાં વર્તાઈ રહી છે. ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરવાના મૂડમાં આવી ગયા છે. જ્ઞાન સહાયકનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોની વાત તો સરકારે સાંભળી નહીં ત્યારે ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.ની શરૂઆત કરી છે જ્યારે કોંગ્રેસે પણ જ્ઞાનસહાયકના વિરોધમાં રેલી કાઢી હતી.


કોંગ્રેસે વ્યારામાં તો આપે દાંડીથી કાઢી યાત્રા 

જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવા માટે ગાંધીનગર ખાતે થોડા દિવસ પહેલા કોંગ્રેસે શિક્ષણ બચાવ ધરણા કર્યા હતા. આ કાર્યક્રમમાં ટેટ-ટાટના ઉમેદવારો તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આવ્યા હતા અને તેમણે પોતાની વેદના ઠાલવી હતી. ત્યારે આજે વ્યારા ખાતે કોંગ્રેસે રેલી કાઢી હતી. શિક્ષણ બચાવો ધરણા અંતર્ગત કોંગ્રેસે આ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ, અમિત ચાવડા સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ દાંડીથી યુવા અધિકાર રેલીની શરૂઆત કરી છે. યુવરાજસિંહ જાડેજા, ગોપાલ ઈટાલિયા સહિતના આગેવાનો આ દાંડી યાત્રા 2.0માં હાજર છે.       

 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!