Narmadaમાં નાગરિકે ભાજપના નેતાને ખખડાવ્યા, નેતાઓને તાયફા બંધ કરવા કહ્યું! સાંભળો શાળાને લઈ શું કહ્યું નાગરિકે


  • Published By :
  • Published Date : 2023-12-11 16:59:27

અનેક વખત આપણે જોતા હોઈએ છીએ કે નેતાઓ અધિકારીઓને ખખડાવતા હોય છે. પરંતુ નર્મદાથી એક અલગ કિસ્સો સામે આવ્યો છે. વિકસિત ભારત યાત્રામાં જબરદસ્ત કિસ્સો સામે આવ્યો છે. ગામના જાગૃત નાગરિકે પ્રશાસનને આડે હાથ લઇ લીધા હતા અને કાર્યક્રમમાં હાજર ભાજપના નેતાઓ અને અધિકારીઓને ખખડાવ્યા હતા. નાગરિકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

વિકસીત ભારતની યાત્રામાં નેતાને થયો કડવો અનુભવ 

લોકશાહીમાં આપણને આપણા નેતાઓને સવાલો પૂછવાનો અધિકાર છે પણ આપણે ઘણી વાર આપણે બોલતા નથી જેના કારણે પરિસ્થિત સુધરતી નથી. નર્મદાથી વાયરલ થયેલો આ વીડિયો આપણને પણ કાંઈક શીખવાડી જાય છે. આ વીડિયો વાયરલ થયો એ ભાઈના ગામની શાળા જર્જરિત હતી પરંતુ નેતાઓ એ વાત કર્યા વગર વિકસિત ભારતની યાત્રામાં બીજી અન્ય વાતો કરી રહ્યા જેથી અકળાઈને આ ભાઈએ કહી દીધું કે આ તાયફાઓ બંધ કરો. 

શાળા બનાવવામાં કેમ સમય લાગે છે?

નર્મદાના તિલકવાડાના ઉચાદ ગામે વિકસિત ભારત યાત્રા હતી તે સમયનો કિસ્સો છે. જર્જરિત શાળાને લઈ જાગૃત નાગરિકે પ્રશાસનને આડે હાથ લીધી હતી. કાર્યક્રમમાં હાજર ભાજપ નેતાઓ અને અધિકારીઓને ખખડાવ્યા છે. આ કાર્યક્રમમાં જાગૃત નાગરિકએ જણાવ્યું હતું કે, આવા બધા તાયફાઓ બંધ કરો. અમારા બાળકો વર્ષોથી ઓટલા પર બેસીને ભણે છે. શાળા બનવામાં કેમ સમય લાગે છે. 


ભાજપના નેતાઓને ખખડાવ્યા

એક જાગૃત નાગરિક સ્ટેજ પર આવીને માઇક હાથમાં લઈને તંત્ર અને સ્થાનિક ભાજપ નેતાઓને ખખડાવ્યા હતા. તેમજ વિવિધ સુવિધાસભર સવાલો પણ કર્યા હતો જેને લઈને કેટલાક હાજર લોકોએ તાળીઓ પણ પાડી હતી જોકે આ વિડિઓ અત્યારે સોશિલય મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને પ્રશાશન પર સવાલો ઉઠાવી રહ્યો છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.