જયારે પત્નીએ કોફીમાં ઝેર ભેળવીને પતિને આપ્યું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-28 17:58:17

જેમ રથને ચલાવવા માટે બે પૈડાના સંતુલનની જરૂર પડે છે તેમ સાંસારિક રથને ચલાવવા માટે પતિ અને પત્નીના સંબંધોમાં સંતુલન ની જરૂર પડે છે . પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો બહાર આવ્યો છે કે જેમાં પત્નીએ પતિની કોફીમાં ઝેર ભેળવીને આપી દીધું . આ પછી પતિને હોસ્પિટલ લઈ જવાયો . હવે પત્ની પર  પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે . આ ઘટના છે ઉત્તરપ્રદેશ રાજ્યના મુજફ્ફરનગરના ખતોલીની.  

यूपी में हैरान करने वाली घटना, पत्नी ने पति को कॉफी में दिया जहर, सामने आई  वजह - Shocking incident in Muzaffarnagar, wife gave poison to husband in  coffee, reason revealed -

દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તરપ્રદેશ તેનો જિલ્લો મુઝફ્ફરનગર ત્યાંનું ખતોલી શહેર કે જ્યાં ખુબ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. વાત એવી છે કે, બે વર્ષ પેહલા અનુજ શર્મા નામના યુવકના લગ્ન ગાઝીયાબાદની યુવતી પિંકી સાથે થયા હતા . લગ્નના થોડાક સમયમાંજ એટલેકે બે મહિના પછી અનુજ અને પિંકી વચ્ચે વિવાદો થવા લાગ્યા . પિંકી પર આરોપ લગાવવામાં આવ્યો કે તે ફોન પર બીજા કોઈ છોકરા સાથે વાત કરતી હતી . આ લઇને પિંકી અને અનુજ વચ્ચે દર વખત ઝગડો થતો હતો . અનુજ મેરઠ જિલ્લાની એક હોસ્પિટલમાં નોકરી કરે છે.   અનુજની બહેન મીનાક્ષીની કેહવું છે કે, જયારે અનુજ નોકરી પર હોય ત્યારે પિંકી એક છોકરા સાથે કલાકોના કલાકો ફોન પર વાત કરતી હતી .  અનુજની બહેન મીનાક્ષીએ કહ્યું કે , એક દિવસ અનુજે પિંકીનો ફોન છીનવી લીધો ને તે છોકરાનો ફોટો અને મેસેજ જોયા. આ પછી અનુજને ખબર પડી કે , પિંકી જે છોકરા સાથે ફોન પર સતત વાત કરતી હતી તે તેનો ભાણિયો હતો . આ પછી પિંકીએ અનુજને જણાવ્યું કે લગન પેહલા તે છોકરાને પ્રેમ કરતી હતી. જોકે લગન પછી આ સબંધ માત્ર દોસ્તીનો રહી ગયો. હવે તે તેની સાથે માત્ર  વાત કરે છે . આ બાબતને લઇને પિંકી અને અનુજ વચ્ચે મારામારી થવા લાગી . સાથે જ અનુજના પરિવારનો આરોપ છે કે , પિંકી બે ત્રણ મહિના પેહલા પોતાના પિયરમાં જતી રહી હતી . તે દરમ્યાન પિંકીએ અનુજની વિરુદ્ધમાં મારપીટની ફરિયાદ પણ દાખલ કરી હતી . આ પછી મહિલા પોલીસ સ્ટેશનમાં બેઉ પતિ અને પત્નીનું કાઉન્સેલિંગ થયું હતું . 

Muzaffarnagar Poisonous Coffee Case: क्योंकि अपने भांजे से प्यार करती थी  पिंकी इसलिए उसने पति अनुज की कॉफी में मिलाया जहर, मामले को जान चौंक जाएंगे  - Because Pinky ...

હવે પિંકી પર આરોપ છે કે , ૨૫ માર્ચના દિવસે ઘરે આવી . આ પછી તેણે કઈંક ઝેર કોફીમાં મિલાવીને અનુજને પીવડાવી દીધું . આ પછી અનુજની હાલત નાજુક થઇ ગઈ અને પછી તેમને મેરઠની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા . અનુજની મોટી બહેન મીનાક્ષીનું કેહવું છે કે , પિંકીએ મેરઠના સૌરભ હત્યાકાંડને જોઇને આ ગુનાખોરી આચરી છે.  જોકે હવે પોલીસે પત્નીની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. એક વસ્તુ ચોક્કસ છે કે , દામ્પત્ય જીવનમાં સહનશક્તિ હોવી જ જોઈએ . એકબીજાને સમજવા જરૂરી છે . સિવાય કે ઉગ્ર બોલાચાલી કે પછી હિંસા કરવી .  આ કેસમાં જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું . 



The case of Rajkumar Jat's death is becoming more and more discussed day by day and its repercussions are also being felt in other states besides Gujarat. There is immense anger in the Jat community and now it seems that this protest is going to intensify in the next two days.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ અને કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ નવસારીના ચીખલી ગામે સોલાર મોડ્યૂલસનું ઉત્પાદન કરતા ભારતના સૌથી મોટા પ્લાન્ટની સ્થાપના કરી છે. આ એકમની રચના વારી એનર્જી લિમિટેડ નામની કંપની દ્વારા કરવામાં આવી છે . આ પ્લાન્ટ રાષ્ટ્રનિર્માણમાં ખુબ મહત્વનું યોગદાન આપશે કેમ કે , સોલાર મોડ્યૂલસના ઉત્પાદનમાં આપણે હાલમાં ચાઈનાની સપ્લાય ચેન પર નિર્ભર છીએ . માટે હવે આ પ્લાન્ટ આપણને સોલાર મૉડ્યૂલ્સના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .