MPના CM મોહન યાદવ એક્શનમાં, લાઉડ સ્પીકર અને ખુલ્લામાં વેચાતા માંસ પર લીધો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-12-13 22:15:38

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવે ખુરશી સંભાળતાની સાથે જ મોટો નિર્ણય લીધો છે. તેમણે રાજ્યમાં ધાર્મિક સ્થળો અને અન્ય જાહેર સ્થળોએ લાઉડસ્પીકરના અનિયંત્રિત ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત MPના CMએ રાજ્યમાં ખુલ્લી જગ્યાઓ પર વેચાતા માંસને લઈને પણ કડક સૂચનાઓ આપી છે.


શું કહ્યું CM મોહન યાદવે 


કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા CM મોહન યાદવે કહ્યું કે ફૂડ સેફ્ટી નિયમોનો કડક અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે માંસ અને ઈંડાના ખુલ્લા વેચાણનો મુદ્દો ઉઠાવ્યો છે અને બેઠકમાં નવા નિયમો લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.


ધ્વનીના માપદંડોનું પાલન અનિવાર્ય


મધ્યપ્રદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટિફિકેશનમાં તમામ જિલ્લાઓમાં ધ્વનીના માપદંડોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઔદ્યોગિક, વાણિજ્યિક, રહેણાંક અને શાંત વિસ્તારોનું વર્ગીકરણ કરવામાં આવે અને ધોરણોનું પાલન કરવામાં આવે. નિયમોનો અમલ કરવા માટે ફ્લાઈંગ સ્ક્વોડ બનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.