ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઘટ્યું તાપમાન, હિમવર્ષાને કારણે થઈ રહ્યો છે કાતિલ ઠંડીનો અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-01-16 10:37:46

ગુજરાત સહિત દેશભરમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. અનેક રાજ્યોમાં હિમવર્ષા પણ થઈ રહી છે. જેને કારણે ઠંડીમાં ઠિઠુરવા લોકો મજબૂર બન્યા છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ જેવા રાજ્યોમાં સતત ઠંડી વધી રહી છે. આવનાર અઠવાડિયામાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે જેને લઈ હવામાન વિભાગે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દીધા છે.


દિલ્હીમાં ઘટી રહ્યું છે તાપમાન 

દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હાકડા થીજવી દે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત નીચો જઈ રહ્યો છે. દિલ્હીમાં તાપમાન 4.7 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીના તાપમાનમાં ઘટાડો થયો છે. આવતા અઠવાડિયે આ તાપમાન હજી પણ નીચે જઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.


હિમવર્ષાને કારણે વધી ઠંડી

મોસમ વિભાગની આગાહી પ્રમાણે દિલ્હીમાં તાપમાનનો પારો ત્રણ ડિગ્રી પર પહોંચી શકે છે. પંજાબમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં પણ હાડકા થીજવી દે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં તો હિમવર્ષા થઈ રહી છે જેને કારણે અનેક રાજ્યોમાં ઠંડી અનુભવ થઈ રહ્યો છે. હિમવર્ષાને કારણે રસ્તાઓ પર બરફ જામી ગયો છે. 


ઉત્તરપ્રદેશમાં પણ થયો ઠંડીનો અહેસાસ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સપ્તાહમાં હજી પણ ઠંડીનું જોર વધશે. ઠંડીનું જોર વધતા અનેક રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બિહારમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં પણ લોકો ઠંડીને સહન કરવા મજબૂર બન્યા છે.    



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .