મનીષ સીસોદિયાની તિરંગા રેલીમાં મોદી મોદીના નારા લાગ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 15:39:28

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે જોર શોરથી પાર્ટીઓ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી શોર-જોરથી પ્રચાર કરી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે મહેસાણા ખાતે તિરંગા યાત્રા નિકળી હતી. તે દરમિયાન તિરંગા યાત્રામાં મોદી મોદીના નારા લાગ્યા હતા.

'બસ હવે પરિવર્તન જોઈએ' યાત્રા કરતા મનીષ સિસોદિયા

આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે હાલ ગુજરાતના પ્રવાસે મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે. બસ હવે પરિવર્તનની થીમ પર તેઓ પ્રચાર કરી રહ્યા છે. મનીષ સિસોદિયા સાથે ઈસુદાન ગઢવી પણ યાત્રામાં જોડાયા છે.

 

અરવિંદ કેજરીવાલના પ્રવાસ દરમિયાન પણ લાગ્યા હતા મોદી મોદીના નારા

ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે ત્યારે આમ આદમી પાર્ટી પોતાનો પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અનેક વખત અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા જ્યારે તેઓ વડોદરાની મુલાકાતે આવ્યા હતા તે દરમિયાન પણ મોદી-મોદીના નારા લાગ્યા હતા. ત્યારે ફરી એક વખત અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે 25 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવવાના છે. 



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.