મણિપુરમાં સુરક્ષાબળોને મળી મોટી સફળતા, ઉગ્રવાદીઓના ટેન્કરો કર્યા નષ્ટ


  • Published By :
  • Published Date : 2023-06-26 18:12:16

મણિપુરમાં ભડકેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. અનેક મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે. કુકી તેમજ મૈતેઈ સમુદાયો વચ્ચે શરૂ થયેલી હિંસા હજી પણ યથાવત જોવા મળી રહી છે. ત્યારે મણિપુરમાં શાંતિ સ્થપાય તે માટે સુરક્ષાબળોને ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ત્યારે પોલીસે રવિવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તે દરમિયાન 12 બંકરો તોડી પાડવામાં આવ્યા હતા. સુરક્ષાબળોએ ઉગ્રવાદી વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

 



12 બંકરોને કરાયા નષ્ટ 

છેલ્લા ઘણા દિવસોથી મણિપુરમાં અશાંત વાતાવરણ ફેલાઈ રહ્યું છે. મણિપુરમાં ભડકેલી હિંસાને કારણે અંદાજીત 100થી વધારે લોકોના મોત થયા છે. વાતાવરણને શાંત કરવા તેમજ ભડકેલી હિંસાને શાંત કરવા સુરક્ષા બળોને તૈનાત કરી દેવામાં આવી છે. પરંતુ તે બાદ પણ અનેક વખત ફાયરિંગની ઘટના બની છે. અમિત શાહે પણ મણિપુરની મુલાકાત લીધી હતી તે ઉપરાંત સર્વદળીય બેઠકનું આયોજન પણ કર્યું હતું. ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરક્ષાબળોએ ઉગ્રવાદીઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કાર્યવાહી દરમિયાન 12 બંકરો તોડી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત એવા પણ સમાચાર સામે આવ્યા છે કે પીએમ મોદી પણ મણિપુરને લઈ બેઠક કરી છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.