મહિસાગરમાં જાનૈયાઓને નડ્યો અકસ્માત, બેકાબૂ બનેલી ગાડી જાનના વરઘોડા પર ફરી વળી


  • Published By :
  • Published Date : 2023-02-16 14:10:08

મહીસાગરના બાલાસિનોરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાત્રીના સમયે વરઘોડો જઈ રહ્યો હતો તે દરમિયાન વરઘોડાને અકસ્માત નડ્યો છે. કારચાલક નશાની હાલતમાં હતો અને નશાની હાલતમાં તેણે કાર જાનૈયાઓ પર ચલાવી દીધી. જેને કારણે 2 લોકોના મોત થયા છે જ્યારે 20-25 જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડાએ સ્થળની મુલાકાત લીધી હતી. 


બે લોકોના થયા મોત   

બાલાસિનોર શહેરમાં લગ્નના વરઘોડાને અકસ્માત નડયો છે. સેવાલિયા રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત સર્જાયો છે જેમાં નશામાં ધુત સ્વીફટ કાર ચાલકે વરઘોડા ઉપર કાર ફેરવી દીધી હતી. મોડી રાત્રે જઈ રહેલા વરઘોડાને આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે વરઘોડામાં હાજર લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 20-25 જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. બાલાસિનોર પોલીસે હિટ એન્ડ રનની ઘટના નોંધી તપાસ હાથ ધરી છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.