મધ્ય પ્રદેશના કરહલમાં પીએમ મોદીએ સ્વસહાય જૂથની બહેનોને સંબોધન કર્યું , પીએમ મોદીએ માતાને કર્યા યાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 17:11:50

જન્મદિવસે PM મોદીએ માતાને યાદ કર્યા 


મધ્યપ્રદેશના કરહલમાં એક સ્વસહાય જૂથના કાર્યક્રમને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આજે હું મારી માતા પાસે જઈ શક્યો નહીં, પણ માતાઓ-બહનોના આશીર્વાદ મળ્યા" PMએ કહ્યું કે, "શ્યોપુર અને કરહલના લોકોને આજથી હું 8 ચિત્તાની જવાબદારી સોંપીને આવ્યો છું". તેમણે કાર્યક્રમમાં હાજર રહેલી મહિલાઓને સંબોધતા કહ્યું કે, "કોઈ કાર્યક્રમ ન હોય તો હું વિચારુ છું કે, માતા પાસે જઈ આવું અને તેમના ચરણસ્પર્શ કરી લઉં અને આ વખતે હું ભલે મારા માતા પાસે નથી જઈ શક્યો પણ મારા માટે ખુશીની વાત છે અહીં લાખો માતા બહનોએ મને આશીર્વાદ આપ્યા છે."

PM મોદીએ કહ્યું કે, "કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાને છોડવાનું સૌભાગ્ય મળ્યું છે. દૂરના દેશથી મેહમાન આવ્યા છે. આ ચિત્તાના સન્માન માટે તાલિયો પાડો. હું મધ્યપ્રદેશ અને દેશના લોકોને શુભકામના આપું છું તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશની દિકરીઓ ક્યારેય કોઈનાથી પાછળ નથી રહી. મધ્ય પ્રદેશમાં જળ પરિયોજનાનો સમૂહ હાથમાં છે. અમારો ટાર્ગેટ છે કે, ગ્રામીણ પરિવાર આ અભિયાન સાથે જોડાય. સ્વસહાય જૂથ અભિયાનમાં કેટલીય બહેનો જોડાઈ છે."  
પ્રધાનમંત્રી મોદીએ મહિલા સશક્તિકરણ પર કર્યું નિવેદન
આગળ મહિલા સશક્તિકારણ પર કહ્યું છેલ્લા 8 વર્ષમાં સ્વસહાય જૂથને સશક્ત બનાવવા માટે અમે દરેક પ્રકારની મદદ કરી છે. આજે સમગ્ર દેશમાં 8 કરોડથી વધારે બહેનો આ અભિયાન સાથે જોડાયેલી છે. અમારો ટાર્ગેટ છે કે ગ્રામિણ પરિવારમાંથી ઓછામાં ઓેછી એક બહેન આ અભિયાન સાથે જોડાય. જે પણ સેક્ટરમાં મહિલાઓનું પ્રતિનિધ્તવ વધ્યું છે. તે ક્ષેત્રમાં, તે કાર્યમાં આપની સફળતા નક્કી થઈ જાય છે. સ્વચ્છ ભારત અભિયાનની સફળતા તેનું શાનદાર ઉદાહરણ છે, જેનું મહિલાઓએ નેતૃત્વ કર્યું છે.


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે