મધ્ય પ્રદેશના કરહલમાં પીએમ મોદીએ સ્વસહાય જૂથની બહેનોને સંબોધન કર્યું , પીએમ મોદીએ માતાને કર્યા યાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 17:11:50

જન્મદિવસે PM મોદીએ માતાને યાદ કર્યા 


મધ્યપ્રદેશના કરહલમાં એક સ્વસહાય જૂથના કાર્યક્રમને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આજે હું મારી માતા પાસે જઈ શક્યો નહીં, પણ માતાઓ-બહનોના આશીર્વાદ મળ્યા" PMએ કહ્યું કે, "શ્યોપુર અને કરહલના લોકોને આજથી હું 8 ચિત્તાની જવાબદારી સોંપીને આવ્યો છું". તેમણે કાર્યક્રમમાં હાજર રહેલી મહિલાઓને સંબોધતા કહ્યું કે, "કોઈ કાર્યક્રમ ન હોય તો હું વિચારુ છું કે, માતા પાસે જઈ આવું અને તેમના ચરણસ્પર્શ કરી લઉં અને આ વખતે હું ભલે મારા માતા પાસે નથી જઈ શક્યો પણ મારા માટે ખુશીની વાત છે અહીં લાખો માતા બહનોએ મને આશીર્વાદ આપ્યા છે."

PM મોદીએ કહ્યું કે, "કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાને છોડવાનું સૌભાગ્ય મળ્યું છે. દૂરના દેશથી મેહમાન આવ્યા છે. આ ચિત્તાના સન્માન માટે તાલિયો પાડો. હું મધ્યપ્રદેશ અને દેશના લોકોને શુભકામના આપું છું તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશની દિકરીઓ ક્યારેય કોઈનાથી પાછળ નથી રહી. મધ્ય પ્રદેશમાં જળ પરિયોજનાનો સમૂહ હાથમાં છે. અમારો ટાર્ગેટ છે કે, ગ્રામીણ પરિવાર આ અભિયાન સાથે જોડાય. સ્વસહાય જૂથ અભિયાનમાં કેટલીય બહેનો જોડાઈ છે."  
પ્રધાનમંત્રી મોદીએ મહિલા સશક્તિકરણ પર કર્યું નિવેદન
આગળ મહિલા સશક્તિકારણ પર કહ્યું છેલ્લા 8 વર્ષમાં સ્વસહાય જૂથને સશક્ત બનાવવા માટે અમે દરેક પ્રકારની મદદ કરી છે. આજે સમગ્ર દેશમાં 8 કરોડથી વધારે બહેનો આ અભિયાન સાથે જોડાયેલી છે. અમારો ટાર્ગેટ છે કે ગ્રામિણ પરિવારમાંથી ઓછામાં ઓેછી એક બહેન આ અભિયાન સાથે જોડાય. જે પણ સેક્ટરમાં મહિલાઓનું પ્રતિનિધ્તવ વધ્યું છે. તે ક્ષેત્રમાં, તે કાર્યમાં આપની સફળતા નક્કી થઈ જાય છે. સ્વચ્છ ભારત અભિયાનની સફળતા તેનું શાનદાર ઉદાહરણ છે, જેનું મહિલાઓએ નેતૃત્વ કર્યું છે.


નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.