લોન ન ચૂકવી શક્તા Junagadhમાં જગતના તાતે કરી આત્મહત્યા, ધીરાણ ભરવા નોટિસ આવતા ખેડૂતો ભર્યું આ પગલું! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-12 15:27:53

લોકોની થાળીમાં અનાજ સમયસર પહોંચે તે માટે ખેડૂતો રાત દિવસ મહેનત કરતા હોય છે. ખેડૂતો ન તો દિવસ જોવે છે ના તો રાત જોવે છે. ખેતરમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતી મહેનતને કારણે આપણી થાળીમાં અનાજ પહોંચે છે. પરંતુ જગતના તાતની હાલત અત્યંત દયનિય થઈ રહી છે. પોષણ સમા ભાવ ન મળવાને કારણે જગતના તાતને રડવાનો વારો આવતો હોય છે. પૈસા ભેગા કરીને, લોન લઈને ખેડૂતો ખેતરમાં વાવણી કરે છે પરંતુ જ્યારે તેમને સારા ભાવ નથી મળતા ત્યારે તે દુખી થઈ જાય છે. અનેક ખેડૂતો પૈસા ઉધાર લઈને ખેતરમાં ખેતી કરતા હોય છે. 


ખેડૂતો લોન લઈ કરતા હોય છે ખેતી 

ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. ભારતનું અર્થતંત્ર કૃષિ પર આધારિત રહેલું છે. જે લોકોના કારણે દેશનું અર્થતંત્ર ચાલે છે તે જ ખેડૂતોને ખેતી કરવા માટે લોન પર પૈસા લેવા પડે છે. ખેડૂતો લોન પર તો પૈસા લઈ લે છે પરંતુ જ્યારે લોન ચૂકવવાની વાત આવે છે ત્યારે પૈસા ન ચૂકવવાને કારણે અનેક ખેડૂતો પોતાના જીવનનો અંત કરી લેતા હોય છે. જીવન ટૂંકાવવાનો વારો ખેડૂતોને આવતો હોય છે. 


લાખો રૂપિયા ચૂકવવાના બાકી હોવાથી ખેડૂતે ભર્યું આ પગલું 

લોન પર પૈસા લીધેલા પૈસાને ન ચૂકવી શકતા ખેડૂતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જૂનાગઢ જિલ્લાના વાંદરવદ ગામના એક ખેડૂતે સહકારી મંડળમાંથી પૈસા ઉધાર લીધા હતા. પરંતુ નાણા ચૂકવી ન શકતા જગતના તાતે જીવન ટૂંકાવ્યું છે. જ્યાંથી ખેડૂતે લોન લીધી હતી તે મંડળીનું નામ છે વાંદરવડ સેવા સહકારી મંડળી. આ એ જ મંડળી છે જ્યાંથી  થોડા સમય કૌભાંડના સમાચાર આવ્યા હતા. લાખો રૂપિયા ભરવાના બાકી હોવાને કારણે ખેડૂતે આત્મહત્યા જેવું ગંભીર પગલું લઈ લીધું છે તેવી વાત મૃતકના ભાઈ દ્વારા કરવામાં આવી છે. જે ખેડૂતે આત્મહત્યા કરી છે તેમનું નામ નાગરજી સોલંકી ભાઈ છે અને તેમના ભાઈનું નામ છગનભાઈ છે. 


શું હતું સમગ્ર કૌભાંડ?     

અવાર-નવાર કૌભાંડો સામે આવતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા વાંદરવડ સહકારી મંડળીથી કૌભાંડ સામે આવ્યું છે. 6.56 કરોડની ઉચાપત થયા હોવાનો મામલો સામે આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. જેડીસીસી બેંકની ભેસાણ શાખાના મેનેજરની ફરિયાદના આધારે મંડળીના પ્રમુખ, મંત્રી અને જે તે સમયે ભેસાણા બ્રાન્ચના મેનેજર વિરૂદ્ધ 6 કરોડથી વધુની માતબર રકમની ઉચાપતનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. 


પૈસા ચૂકવવા માટે ખેડૂતને મળી હતી નોટિસ 

વિગતવાર વાત કરીએ તો, વાંદરવડાના ખેડૂતે વાંદરવડ સેવા સહકારી મંડળી માંથી 2,64,000 કે.સી.સી અને 2,76,000 જી.સી.સી ધિરાણ મળી 5,40,000 ધિરાણ લીધેલ લોન લીધી હતી. લોન ભરવાની મુદત પૂરી થતા વ્યાજ સહિતની રકમ ભરવા માટે બેંકે ખેડૂતને નોટિસ ફચકારી હતી. 28 ઓગસ્ટ 2023ના રોજ જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. 


ત્રણ પાનની ખેડૂતે લખી સ્યુસાઈડ નોટ

નોટિસ મળ્યા બાદ પૈસા ન હોવાને કારણે ખેડૂતે આ પગલું ભર્યું છે. પોતાની વાડીમાં ગળેફાંસો ખાઈ ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. પોલીસને આ મામલે સ્યુસાઈડ નોટ પણ મળી છે. ત્રણ પાનની સ્યુસાઈડ નોટને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. લાખો રૂપિયાની લોન બાકી હોવાને કારણે અને પૈસા ન હોવાને કારણે ખેડૂતે આ પગલું ભર્યું છે તેવી વાત મૃતકના ભાઈએ કરી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!