જામનગરમાં રાજપૂત સમાજની BJPને ચિમકી, કહ્યું Rupalaને નહિ હટાવો તો લોકસભામાં પરિણામ ભોગવવું પડશે!


  • Published By :
  • Published Date : 2024-03-28 17:44:07

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. ઉમેદવારોના નામની જાહેરાત થતાં ભાજપમાં કકળાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. જામનગર ખાતે રાજપુત સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.

ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપ્યું હતું નિવેદન!  

જાહેર મંચ પરથી અનેક વખત નેતાઓ દ્વારા એવું નિવેદન આપવામાં આવતું હોય છે જેને કારણે વિવાદ છેડાઈ જતો હોય છે. સામાન્ય દિવસોમાં આપવામાં આવતા નિવેદનને લઈ વિવાદ થતો હોય છે ત્યારે થોડા સમય બાદ લોકસભા ચૂંટણી યોજાવાની છે. આવા સમયમાં આપવામાં આવતા નિવેદનો વિવાદ છેડતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ સમગ્ર રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે. નિવેદન બાદ ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજની બેઠકો મળી રહી છે આ નિવેદનનો વિરોધ કરી રહ્યા છે.


જામનગરમાં યોજાઈ રાજપુત સમાજની બેઠક! 

ચૂંટણી પહેલા આપેલા આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજની બેઠકો મળી છે એ અમદાવાદ હોય કે રાજકોટ સાથે જ ક્ષત્રિય સમાજ જાહેરમાં રૂપાલાનો વિરોધ કરી રહ્યા .છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે ભાજપ તુજસે બેર નહીં પર રૂપાલા તેરી ખેર નહીં... આજ મામલે આજે જામનગરમાં રાજપુત સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પરષોત્તમ રૂપાલાનો વિરોધ થયો હતો. 


પરષોત્તમ રૂપાલાને ટિકીટ અપાતા વિરોધ! 

અનેક બેઠકો એવી છે જ્યાં વિરોધનો સામનો ભાજપના ઉમેદવારને કરવો પડી રહ્યો છે. અનેક ઉમેદવારો વિરૂદ્ધ પોસ્ટરો લાગ્યા. ત્યારે પરુષોત્તમ રૂપાલાની ટિકીટ કાપવામાં આવે તેવી ઉગ્ર માંગ રજૂ કરવામાં આવી હતી આ બેઠક બાદ.. અને સાથે જ એવી માહિતી પણ મળી હતી કે જામનગર શહેર સંગઠનના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ ભાજપ માંથી રાજીનામું આપી દીધું છે તેમનું કહવું છે કે ભાજપ ટીકીટ નહીં કાપે તો લોકસભામાં તેનું પરિણામ ભોગવશે. મહત્વનું છે કે ચૂંટણી સમયે આપવામાં આવેલા આ નિવેદનની શું અસર પડશે આવનાર લોકસભા ચૂંટણીના પરિણામ પર..?



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.