જામનગરમાં મેઘરાજાના બખ્ખાં! ડેમો પાણીથી છલકાયા, પાણી ભરાતા લોકોને પડી હાલાકી


  • Published By :
  • Published Date : 2023-07-01 13:10:26

ગુજરાતમાં 250 જેટલા તાલુકા છે જેમાંથી ગઈકાલે 200 તાલુકામાં 1 ઈંચથી લઈને 16 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ટૂંકમાં ગુજરાતનો કોઈ ખૂણો ભીંજાયા વગરનો નથી રહ્યો. એવામાં જામનગરની વાત કરીએ કારણ કે આ વિસ્તારમાં એટલો વરસાદ પડ્યો છે કે તેના જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ અને રંગમતિ ડેમ છલકાવાના આરે પહોંચી ગયા છે. આ પરિસ્થિતિ એટલા માટે બની છે કારણ કે શુક્રવારે જામનગરમાં 13 ઈંચ જેટલો વરસાદ એક સાથે ખાબક્યો છે. દુખભર્યા સમાચાર એ પણ છે કે જામનગરમાં ભારે વરસાદના કારણે 3 લોકોના મોત પણ થઈ ગયા છે. રેડ અલર્ટ આપવાના કારણે ભય વાળા વિસ્તારમાંથી 35 લોકોને બચાવી લેવાયા છે અને 50થી વધુ નાગરિકોને સલામત સ્થળોએ મોકલી દેવાયા છે. ભારે વરસાદના વચ્ચે જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીએ જામનગરના લોકોને સુરક્ષિત સ્થળે પહોંચી જવા અપીલ કરી હતી. 


નીચાણવાળા વિસ્તારમાં ભરાયા ઘૂટણસમા પાણી

શુક્રવાર રાત્રે બે વાગ્યાથી લઈ આખો દિવસ સતત વરસાદ વરસ્યો હતો જેના કારણે જામનગરના પૂર્વ ભાગના નીચાણવાળા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયું હતું. જામનગર ફાયર વિભાગે શહેરના 12 જેટલા લોકોને સ્થળાંતરીત કર્યા હતા. જો કે દુખદ વાત એ હતી કે ગુલાબનગર વિસ્તારના વોકળામાં પાણી ભરાઈ જતા યસ પરમાર નામના 13 વર્ષના બાળકનું નિધન થયું છે. બીજી બાજુ રણજીત સાગર ડેમ સાઈટ પર અસીફ બચુભાઈ અને તેના પુત્ર નવાઝનું ડૂબી જતા મોત થઈ ગયું છે. જામનગરમાં સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પરિસ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગર ખાતે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.


108ની ગાડી ફસાઈ હતી અંડરપાસમાં  

કાલાવડ તાલુકાના અમરાપરાથી જામનગર જતી 108 એમ્બ્યુલન્સ નાળામાં ખાબકી ગયું હતું. દુખદ વાત એ હતી કે એમ્બ્યુલન્સમાં સગર્ભા નુરીબેન બામણિયા હતા, જામનગર ફાયર બ્રિગેટને 108 દુર્ઘટનાનો કોલ મળતા તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડે વાહનને નાળામાંથી કાઢ્યું હતું..


અનેક ડેમોમાં પાણીની થઈ આવક

વરસાદના કહેરની તો વાત કરી પણ મહેરની પણ વાત કરીએ તો જામનગરમાં ભારે વરસાદ પડતા પિવાના પાણીનો એક વર્ષ સુધીનો જથ્થો ભેગો થઈ ગયો છે. જામનગરનો રંગમતિ અને રણજીતસાગર ડેમ છલકાઈ ગયો હતો. આ સિવાય ફલ્લા પાસે આવેલો કંકાવટી ડેમ પણ ઓવરફ્લો થયો હતો. કંકાવટીના પાટીયા ખોલાતા નીચાણવાળા ગામડાઓને અલર્ટ કર્યા હતા કે પાણી ગમે ત્યારે વિસ્તારમાં ઘૂસી શકે છે માટે ધ્યાન રાખે.   




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!