જામનગર જિલ્લામાં ખેડૂતોના મોઢે સુધી આવેલો કોળિયો છીનવાયો, ડુંગળીના પાકને વ્યાપક નુકસાન


  • Published By :
  • Published Date : 2023-11-26 19:07:42

રાજ્યમાં આજે સવારથી ભરશિયાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે, રાજ્યના સાર્વત્રિક કમોસમી વરસાદ થતા ખેડૂતોની હાલત ચિંતાજનક બની છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં માવઠાના કારણે સૌથી માઠી અસર થઈ છે, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, જામનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે હજી આવનારા 24 કલાક રાજ્ય માટે ભારે છે અને અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગોમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી આપી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ભાગોનો સમાવેશ થાય છે.


જામનગરમાં ડુગળીના પાકને નુકસાન


કૃષિમંત્રી રાઘવજી પટેલના જામનગર જિલ્લામાં ખેડૂતો પર કુદરતી આફતે કહેર વરસાવ્યો છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદ પડવાના કારણે ખેડૂતોને પાકમાં નુકસાની થવાની ભીતી સર્જાઈ છે. જામનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. બજરંગપુર ગામમાં વરસાદના કારણે પાથરે પડેલ ડુંગળીનો પાક પલડી ગયો હતો. 10 વિઘામા વાવેલ ડુંગળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતને મોઢે સુધી આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. જામનગરના આસપાસ ઘણા બધા ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.