જામનગરમાં પરપ્રાંતિય યુવાને ચારિત્ર્યની શંકા રાખી પત્નીની કરી હત્યા, પોતે પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


  • Published By :
  • Published Date : 2024-01-04 23:01:43

લગ્ન જીવનમાં એક નાની શંકા પણ પતિ-પત્ની માટે કેવી જીવલેણ બને છે તે જામનગરમાં બનેલી ઘટના પરથી જાણવા મળે છે. જામનગરના કનસુમરામાં એક પરપ્રાંતિય યુવાને પત્નીના ચારિત્ર અંગે શંકા રાખી મોતને ઘાટ ઉતારી દેતા હડકંપ મચી ગયો છે. જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીયા પાસે એક ઝુપડામાં ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. એક પરપ્રાંતિય યુવાને પત્નીના ચારિત્ર્ય અંગે વહેમ રાખી માથામાં લાકડાના હાથાવાળા કુહાડાના ચાર ઘા ઝીંકી દઈ હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ ઈલેક્ટ્રીક થાંભલામાં સૂતરની દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ તંત્ર દોડતું થયું હતું.


શું છે સમગ્ર મામલો?


આ મામલે પોલીસ પાસેથી મળતી જાણકારી મુજબ મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના હીડીબડી ગામના વતની નેભાભાઇ કલાભાઈ ખરાડી હાલ જામનગર નજીક કનસુમરા ગામમાં એક ખાનગી પ્લોટમાં ઝૂંપડું બાંધીને રહેતા હતા. તેમણે પત્નીની હત્યા કરી નાંખી છે. લોહીથી લથબથ મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું અને ત્યારબાદ હત્યારા પતિ નેવાભાઈ કલાભાઈ ખરાડી બનાવથી થોડે દૂર ઇલેક્ટ્રીક થાંભલામાં ખાટલો બાંધવા માટેની સૂતરની દોરીથી ગળાફાંસો ખાઈ લઈ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર વિજય નેવાભાઈ ખરાડીએ પોલીસને જાણ કરતા પંચકોશી બી. ડિવિઝનના પી.એસ.આઇ.એમ.વી. મોઢવાડિયા તેઓની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને એકપછી એક બંને મૃતદેહોનો કબજો સંભાળ્યો હતો અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


પત્નીના ચારિત્ર્યની શંકા બની મોતનું કારણ


આ મામલે પોલીસે મૃતકના પુત્ર વિજય ખરાડીની ફરિયાદના આધારે આરોપી નેવાભાઈ કલાભાઈ ખરાડી સામે ફરિયાદ દાખલ કરી છે અને હથિયાર કબ્જે કર્યું છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન, આરોપી નેવાભાઈ જે પોતાની પત્નીના ચારિત્ર્ય અંગેની શંકા કરતો હતો, તેની પત્નીને વતનમાં અન્ય કોઈ પુરુષ સાથેના આડા સંબંધો છે, તેવી શંકા કરીને અવારનવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને બુધવારની રાત્રે હત્યાની ઘટનાને અંજામ આપી દીધો હતો. ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!