પોતાના ભાષણમાં નીતિન પટેલે કહ્યું રાહુલ ગાંધી જેટલું બોલશે તેટલો ભાજપને ફાયદો છે


  • Published By :
  • Published Date : 2022-11-19 17:55:29

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામવાની છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે રાહુલ ગાંધી જેટલું બોલશે તેટલો ભાજપને ફાયદો થશે. 

nitin patel

રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર 

દરેક રાજકીય પાર્ટી ચૂંટણી પ્રચારમાં લાગી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભા ગજવી રહ્યા છે. ત્યારે સુરતમાં સંબોધન કરતી વખતે નીતિન પટેલે કહ્યું કે રાહુલ ગાંધી જેટલું બોલશે તેટલો ફાયદો ભાજપને થશે. રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે તો બાકી રહેલી કોંગ્રેસનો પણ અંત આવશે. નીતિન પટેલે કહ્યું કે રાહુલ ગાંધીએ મને કહ્યું કે તેઓ કોંગ્રેસને ખતમ કરી દેશે. 

Rahul Gandhi આવતીકાલે સુરતની કોર્ટમાં થશે હાજર, મોદી સમાજ વિરૂદ્ધ કરી હતી  ટિપ્પણી | Gujarat News in Gujarati

રાહુલનું નામ લઈ કહ્યું કે નીતિન પટેલે કહ્યું કે...

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસને જલ્દીથી જલ્દી ભારત મુક્ત કરી દે. જેટલું બોલશે ખરાબ બોલશે. ભારત માતાના વિરૂદ્ધમાં બોલશે. રાહુલ ગાંધીને કહીશ કે ભારત જોડો યાત્રા પૂર્ણ ના કરતા અને ગુજરાતમાં આવજો. ગુજરાતમાં જે થોટું કોંગ્રેસ બચ્યું છે તે પણ સાફ થઈ જશે. વધુમાં નીતિન પટેલે કહ્યું કે રાહુલ ગાંધીએ મને કીધું હતું કે હું કોંગ્રેસને ખતમ કરીને જ રહીશ.        




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.