હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના 26 નેતાઓ કહ્યું પાર્ટીને અલવિદા


  • Published By :
  • Published Date : 2022-11-08 12:15:31

ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી પૂર્વે હિમાચલમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ મહાસચિવ ધરમપાલ ઠાકુર સહિત કોંગ્રેસના અનેક નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ચૂંટણી પૂર્વે કોંગ્રેસના કુલ 26 નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે.


જયરામ ઠાકુરે કર્યું કોંગ્રેસ નેતાઓનું સ્વાગત

હિમાચલમાં ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હિમાચલ પ્રદેશ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 26 નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને ભાજપના ચૂંટણી પ્રભારી સુધન સિંહ દ્વારા તમામ નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 


ઘટનાને જે.પી.નડ્ડાના નિવેદન સાથે જોડાઈ રહ્યું છે

શિમલાથી ભાજપના ઉમેદવાર સંજય સૂદે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા ચમન લાલ, જિલ્લા કોંગ્રેસ સમિતિના સચિવ દેવેન્દ્ર સિંહ, યુવા કોંગ્રેસના પૂર્વ મહાસચિવ મુનીશ મંડલા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. હાલમાં જ હિમાચલ પ્રદેશની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે કહ્યું હતું કે વિપક્ષમાં ઉલટફેર થવાનો છે. તેમના આ નિવેદનને આ ઘટના સાથે જોડવામાં આવી રહ્યું છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.