પોતાની પોસ્ટમાં કંગના રનૌતે કોને દુર્યોધન અને કોને શકુનિ ગણાવ્યા? સુશાંતસિંહ રાજપૂત હત્યા વિશે કહી આ વાત! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-06-12 16:40:32

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાના સ્ટેટમેન્ટને કારણે અનેક વખત ચર્ચામાં આવતી રહે છે. અભિનેત્રી દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે ઘણી વખત વિવાદો પણ સર્જાયા છે. થોડા સમય પહેલા નિતેશ તિવારીએ રામાયણ બનાવવાની જાહેરાત કરી હતી જેમાં રણબીર કપૂરને કાસ્ટ કરવામાં આવ્યા છે. આ વાતને લઈ કંગનાએ નારાજગી વ્યક્ત કરી હતી. તે બાદ કંગનાએ રણબીર કપૂરની સરખામણી દુર્યોધન સાથે કરી જ્યારે અને કરન જોહરની સરખામણી શકુનિ સાથે કરી દીધી. 


રામાયણ ફિલ્મને લઈ કંગના નારાજ દેખાઈ! 

સોશિયલ મીડિયાના માધ્યમથી બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાના વિચાર પોતાના ફેન્સ સમક્ષ પહોંચાડતી રહે છે. જે વાતને લઈ નારાજગી હોય તેની પર પોતાના મંતવ્યો કંગના રનૌત રજૂ કરતી રહે છે. ત્યારે થોડા સમય પહેલા રામાયણ ફિલ્મ બનાવવામાં આવશે તેવી જાહેરાત નિતેશ તિવારી દ્વારા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ભગવાન રામનું પાત્ર રણબીર કપૂર નિભાવતા જોવા મળશે જ્યારે સીતાજીનો રોલ આલિયા ભટ્ટ નિભાવશે. ત્યારે આ વાતને લઈ કંગના રણૌતે નારાજગી વ્યક્ત કરી છે. આ જાહેરાત બાદ કંગનાએ એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે કેવો કળયુગ આવી ગયો છે. ઐતિહાસિક ફિલ્મો માટે શું ખબર કેવા કલાકારોને લેવામાં આવી રહ્યા છે.       

 

સુશાંતસિંહ રાજપૂત કેસનો કર્યો ઉલ્લેખ! 

કંગનાએ પોતાની પોસ્ટમાં રણબીર કપૂર અને કરણ જોહર પર નિશાન સાધ્યું હતું. પોતાના પોસ્ટમાં સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસનો ઉલ્લેખ કરતા લખ્યું કે રણબીર કપૂર અને કરન જોહર સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસના અસલી ગુનેગાર છે. બંનેએ મળીને આ કેસમાં સુશાંત વિરુદ્ધ ખોટી અને નકામી વાતો ફેલાવી છે. તે સિવાય ઋતિક રોશન સાથેના સંબંધો તેમના કારણે વધારે ખરાબ થઈ ગયા. 


રણબીર કપુરને ગણાવ્યા દુર્યોધન!

પોતાની પોસ્ટમાં કંગનાએ લખ્યું કે  હું ગઈકાલે કરેલી વસ્તુઓને આગળ લઈ રહી છું. આ ઉદ્યોગમાં ઘણી બધી ખરાબીઓ છે પરંતુ તે બધામાં સૌથી ખરાબ છે દુર્યોધન (વ્હાઇટ રેટ) અને શકુનિ (પાપા જો)ની જોડી. તે લોકો પોતે માને છે કે તેઓ અન્ય લોકો માટે સૌથી વધુ ઈર્ષ્યા કરે છે, તેઓ સૌથી વધુ ગપસપ કરે છે અને પોતાને વિશે અસુરક્ષિત છે. તેઓ પોતાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી ઓફ ગોસિપ કહે છે.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.