Gujaratમાં Rahul Gandhi, પીડિતો સાથે કરી મુલાકાત, ભાજપ પર સાધ્યું નિશાન! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-07-06 18:05:23

રાહુલ ગાંધી આજે ગુજરાત આવ્યા હતા.. કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલાને ધ્યાનમાં રાખી આજે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલય આજે અનેક વર્ષો બાદ ધમધમ્યું હોય તેવું લાગ્યું. મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકર્તાઓ રાજીવ ગાંધી ભવન એકત્રિત થયા હતા.. અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.. ના માત્ર કાર્યકર્તાઓએ પરંતુ ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓમાં ભોગ બનેલા પીડિત પરિવાર પણ ત્યાં આવ્યા હતા..

અનેક મુદ્દાઓને વિપક્ષ ઉઠાવી રહ્યો છે  

ગુજરાતમાં વિપક્ષ મજબૂત થઈ રહ્યો છે.. અનેક મુદ્દાઓ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.. રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે.. રાહુલ ગાંધી અનેક વર્ષો બાદ ગુજરાતમાં આવેલા કોંગ્રેસના કાર્યાલય પર ગયા હતા. આજે તેમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા હતા. સંબોધન કરતા તેમણે કહ્યું કે અમારી ઓફિસ તોડી એમ અમે તેમની સરકાર તોડીશું. જીગ્નેશ મેવાણી પણ આક્રામક દેખાયા હતા. 

શું કહ્યું રાહુલ ગાંધીએ?

તે સિવાય તેમણે કહ્યું કે આ અભય મુદ્રા છે. આનો મતલબ છે ડરો નહીં, ડરાવ નહીં. તેમણે તમારી ઓફીસ, તમારા કાર્યકરો પર આક્રમણ કર્યું છે. હવે તમારે ડરવાનું નથી, ડરાવવાનું નથી. તેમણે અમારી ઓફિસને તોડીને અમને ચેલેન્જ આપી છે. ચેલેન્જ શું છે? ગુજરાતની ચૂંટણીમાં આપણે બધા મળીને તેમને હરાવવા જઇ રહ્યા છે. જે કહ્યું તે લખીને લઇ લો. કોંગ્રેસ પાર્ટીની આત્મા ગુજરાતની ચૂંટણીમાં લડશે અને નરેન્દ્ર મોદી અને ભાજપને ગુજરાતમાં આયોધ્યાની જેમ હરાવવા જઇ રહ્યા છે. ચૂંટણી પહેલા તમને વિચારી શકતા હતા કે અયોધ્યામાં ભાજપ ચૂંટણી હારશે? હજુ તમને કહુ છુ કે તેઓ અયોધ્યામાં હાર્યા તેમજ અહીં હારવા જઇ રહ્યા છે. તમારે ડરવાનું નથી. તમે ડર્યા વગર ભાજપથી લડી ગયા તો ભાજપ સામે નહીં ઊભી રહી શકે.  



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .