Gujaratમાં Rahul Gandhi, પીડિતો સાથે કરી મુલાકાત, ભાજપ પર સાધ્યું નિશાન! સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-06 18:05:23

રાહુલ ગાંધી આજે ગુજરાત આવ્યા હતા.. કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલાને ધ્યાનમાં રાખી આજે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલય આજે અનેક વર્ષો બાદ ધમધમ્યું હોય તેવું લાગ્યું. મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકર્તાઓ રાજીવ ગાંધી ભવન એકત્રિત થયા હતા.. અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.. ના માત્ર કાર્યકર્તાઓએ પરંતુ ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓમાં ભોગ બનેલા પીડિત પરિવાર પણ ત્યાં આવ્યા હતા..

અનેક મુદ્દાઓને વિપક્ષ ઉઠાવી રહ્યો છે  

ગુજરાતમાં વિપક્ષ મજબૂત થઈ રહ્યો છે.. અનેક મુદ્દાઓ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.. રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે.. રાહુલ ગાંધી અનેક વર્ષો બાદ ગુજરાતમાં આવેલા કોંગ્રેસના કાર્યાલય પર ગયા હતા. આજે તેમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા હતા. સંબોધન કરતા તેમણે કહ્યું કે અમારી ઓફિસ તોડી એમ અમે તેમની સરકાર તોડીશું. જીગ્નેશ મેવાણી પણ આક્રામક દેખાયા હતા. 

શું કહ્યું રાહુલ ગાંધીએ?

તે સિવાય તેમણે કહ્યું કે આ અભય મુદ્રા છે. આનો મતલબ છે ડરો નહીં, ડરાવ નહીં. તેમણે તમારી ઓફીસ, તમારા કાર્યકરો પર આક્રમણ કર્યું છે. હવે તમારે ડરવાનું નથી, ડરાવવાનું નથી. તેમણે અમારી ઓફિસને તોડીને અમને ચેલેન્જ આપી છે. ચેલેન્જ શું છે? ગુજરાતની ચૂંટણીમાં આપણે બધા મળીને તેમને હરાવવા જઇ રહ્યા છે. જે કહ્યું તે લખીને લઇ લો. કોંગ્રેસ પાર્ટીની આત્મા ગુજરાતની ચૂંટણીમાં લડશે અને નરેન્દ્ર મોદી અને ભાજપને ગુજરાતમાં આયોધ્યાની જેમ હરાવવા જઇ રહ્યા છે. ચૂંટણી પહેલા તમને વિચારી શકતા હતા કે અયોધ્યામાં ભાજપ ચૂંટણી હારશે? હજુ તમને કહુ છુ કે તેઓ અયોધ્યામાં હાર્યા તેમજ અહીં હારવા જઇ રહ્યા છે. તમારે ડરવાનું નથી. તમે ડર્યા વગર ભાજપથી લડી ગયા તો ભાજપ સામે નહીં ઊભી રહી શકે.  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.