Gujaratમાં ફરી એક વાર લઠ્ઠાકાંડની બની ઘટના! Gandhinagarના લિહોડામાં બે વ્યક્તિના શંકાસ્પદ રીતે નિપજ્યાં મોત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-15 11:10:42

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. પરંતુ તે કાયદાનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. ગુજરાતમાં ઠેર-ઠેર દારૂ મળે છે તે આપણે જાણીએ છીએ. દારૂ ક્યાં મળે છે તે પોલીસને પણ ખબર હોય છે પરંતુ પોલીસ આમાં કેવી કાર્યવાહી કરે છે તે આપણે જાણીએ છીએ. પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉભા થાય છે. ત્યારે થોડા સમય પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી ત્યારે હવે ગાંધીનગરમાં લઠ્ઠાકાંડ થવાની આશંકા સેવાઈ રહી છે. દેહગામના લિહોડામાં દેશી દારૂ પીધા બાદ 2 લોકોના મોત થયા છે તેવી આશંકા છે કારણ કે ગઈકાલે તેમણે દેશી દારૂ પીધો છે તેવી વાત તેમના પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે બેથી ત્રણ લોકો સારવાર હેઠળ છે અને તેમની હાલત નાજુક છે.       


બે વ્યક્તિના શંકાસ્પદ રીતે થયા મોત 

ગુજરાતમાં દારૂ આસાનીથી મળે તે વાત આપણે જાણીએ છીએ. કોઈ દેશી દારૂ પીવે છે અને કોઈ વિદેશી દારૂ પીવે છે. થોડા સમય પહેલા લઠ્ઠાકાંડ થયો હતો ત્યારે ફરી એક વખત લઠ્ઠાકાંડની ઘટના ગાંધીનગરમાં બની છે તેવી આશંકા સેવાઈ રહી છે. દહેગામના લિહોડામાં દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો જીવન અને મોત વચ્ચે ઝઝુમી રહ્યા છે. લઠ્ઠાકાંડ અંગેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જે લોકોના મોત થયા છે તેમનું નામ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર મૃતકોની ઓળખ 42 વર્ષીય કાનજી ઉમેદસિંહ અને 36 વર્ષીય વિક્રમસિંહ રંગતસિંહ તરીકે થઇ છે. 108ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે તે બાદ આખી ઘટના સામે આવી શકે છે. 



ગઈકાલે બ્રિટેનમાં સત્તા પરિવર્તન થઈ.. ઋષિ સુનકની પાર્ટીની હાર થઈ અને લેબર પાર્ટીનો વિજય થયો. ત્યારે આજે ઈરાનમાં થયેલી ચૂંટણીનું પરિણામ આવ્યું છે.. ઈરાનમાં મસૂદ પેઝેશ્કિયન દેશના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને 30 લાખથી વધુ મતથી હરાવ્યા હતા. એટલે હવે ઈરાનમાં સૂદ પેઝેશ્કિયન રાજ જોવા મળવાનો છે..

પ્રેમમાં પાગલ અનેક લોકો હોય છે. પ્રેમીઓ એક બીજાના વિચારોમાં જ ખોવાયેલા દેખાતા હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના.

ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ ગઈ છે જે બાદ જલ્દી જ પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે તેવી સંભાવના છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન સી.આર.પાટિલે પોતાના ભાષણમાં ઘણા એવા મુદ્દા પર વાત કરી જે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી બાદ ફરી એક વાર સી.આર.પાટિલે ક્ષત્રિય સમાજને યાદ કર્યો છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુઓ પર આપેલા નિવેદનને લઈ ગત 2 જુલાઈના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામ- સામે પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ હવે રાહુલ ગાંધી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આવી રહ્યા છે.