Gujaratમાં ફરી એક વાર લઠ્ઠાકાંડની બની ઘટના! Gandhinagarના લિહોડામાં બે વ્યક્તિના શંકાસ્પદ રીતે નિપજ્યાં મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-15 11:10:42

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. પરંતુ તે કાયદાનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. ગુજરાતમાં ઠેર-ઠેર દારૂ મળે છે તે આપણે જાણીએ છીએ. દારૂ ક્યાં મળે છે તે પોલીસને પણ ખબર હોય છે પરંતુ પોલીસ આમાં કેવી કાર્યવાહી કરે છે તે આપણે જાણીએ છીએ. પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉભા થાય છે. ત્યારે થોડા સમય પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી ત્યારે હવે ગાંધીનગરમાં લઠ્ઠાકાંડ થવાની આશંકા સેવાઈ રહી છે. દેહગામના લિહોડામાં દેશી દારૂ પીધા બાદ 2 લોકોના મોત થયા છે તેવી આશંકા છે કારણ કે ગઈકાલે તેમણે દેશી દારૂ પીધો છે તેવી વાત તેમના પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે બેથી ત્રણ લોકો સારવાર હેઠળ છે અને તેમની હાલત નાજુક છે.       


બે વ્યક્તિના શંકાસ્પદ રીતે થયા મોત 

ગુજરાતમાં દારૂ આસાનીથી મળે તે વાત આપણે જાણીએ છીએ. કોઈ દેશી દારૂ પીવે છે અને કોઈ વિદેશી દારૂ પીવે છે. થોડા સમય પહેલા લઠ્ઠાકાંડ થયો હતો ત્યારે ફરી એક વખત લઠ્ઠાકાંડની ઘટના ગાંધીનગરમાં બની છે તેવી આશંકા સેવાઈ રહી છે. દહેગામના લિહોડામાં દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો જીવન અને મોત વચ્ચે ઝઝુમી રહ્યા છે. લઠ્ઠાકાંડ અંગેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જે લોકોના મોત થયા છે તેમનું નામ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર મૃતકોની ઓળખ 42 વર્ષીય કાનજી ઉમેદસિંહ અને 36 વર્ષીય વિક્રમસિંહ રંગતસિંહ તરીકે થઇ છે. 108ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે તે બાદ આખી ઘટના સામે આવી શકે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.