Gandhinagarમાં અમિત શાહે તિરંગા યાત્રાને બતાવી લીલી ઝંડી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, જાણો


  • Published By :
  • Published Date : 2023-08-13 18:58:40

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. તિરંગા યાત્રાનું પ્રસ્થાન તેમણે કરાવ્યું હતું. તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી જનસંબોધન કર્યું હતું જેમાં તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા છે. ગાંધીનગરના માણસા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે સંસદમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવની વાત કરી હતી. ઉપરાંત યુપીએના સમયમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે પણ તેમણે વાત કરી હતી. 

પોતાના સંબોધનમાં યુપીએ પર કર્યા આકરા પ્રહાર 

અમિત શાહે કહ્યું કે યુપીએ વાળા અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવ્યા. પણ મોદી સાહેબે જે ધૂલાઈ કરી એમની, કે જવાબ આપવા પણ ઉભા ન રહ્યા. અને આ યુપીએ એટલે, કોંગ્રેસ એટલે 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરવા વાળા નેતાઓનો સમૂહ. હમણાં તેમણે નામ બદલી નાખ્યું બોલો. પણ તમે તેને યુપીએના નામથી જ બોલાવજો કારણ કે, નામ ક્યારે બદલવું પડે કોઈ પેઢી કાચી પડે, દેવાળું કાઢે તો નામ બદલવું પડે કે ના બદલવું પડે? આમણે 12 લાખ કરોડના ઘોટાળા કર્યા,ભ્રષ્ટાચાર કર્યા વોટ કોણ આપે બોલો? આપે? એટલે નામ બદલીને આવ્યા. વધુમાં તેમણે કહ્યું કે હું અંગ્રેજીનો વિરોધી નથી પણ ગુજરાતીને જીવતી રાખવાની જવાબદારી આપણી છે, બાળક જો ગુજરાતી નહીં શીખે તો ગુજરાતને ઓળખશે નહીં અને દેશને પણ નહીં ઓળખે અને જો દેશને નહીં ઓળખે તો દેશનું ભલું ક્યારેય નહીં કરી શકે.

આંગણવાડીની શાહે લીધી મુલાકાત 

અમિત શાહે સંબોધન બાદ ગાંધીનગરમાં આવેલી આંગણવાડીની મુલાકાત લીધી હતી, ત્યાં ભણતા બાળકોને રમકડા તેમજ અનેક અન્ય વસ્તુઓ ભેટમાં આપી હતી. તે ઉપરાંત અમિત શાહ તેમજ તેમના પરિવારે કુસુમબા અન્નક્ષેત્રમાં ભોજન ગ્રહણ કર્યું હતું. આ એ અન્નક્ષેત્ર છે જ્યાં લોકોને રોજે નિશુલ્ક ભોજન પિરસવામાં આવે છે. મહત્વનું છે કે રાજ્યમાં એવા અનેક અન્નક્ષેત્ર છે જે મફતમાં અથવા તો ઓછી કિંમતમાં જરૂરિયાતમંદ લોકોને જમવાનું જમાડવામાં આવે છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.