Dakorમાં ભક્તોએ કર્યો VIP વાળા નિર્ણયનો વિરોધ, નિર્ણયને પરત લેવા હિંદુ સંગઠનોએ ઉચ્ચારી ચીમકી, જો નિર્ણય પાછો નહીં લેવાય તો....


  • Published By :
  • Published Date : 2023-08-26 17:58:03

ડાકોરમાં વીઆઈપી એન્ટ્રીની સુવિધા શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વીઆઈપી એન્ટ્રીની વાતો શરૂ થતાં જ વિવાદો શરૂ થઈ ગયા છે. હિંદુ સંગઠનો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવેલા નિર્ણય પરત લેવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી છે. નિર્ણયને પાછો ખેંચી લેવા અપીલ કરી છે અને જો નિર્ણય પાછો નહીં લેવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. અનેક ભક્તોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. 


VIP દર્શન માટે ચૂકવવા પડશે 500 રુપિયા

ડાકોરના ઠાકોર તરીકે સુપ્રસિધ્ધ ખેડાના ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરમાં હવે ઠાકોરજીના નજીકથી દર્શન થઈ શકશે. આ માટે VIP દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે. ટેમ્પલ કમિટીએ સર્વાનુમતે લીધો છે તે મુજબ હવેથી ડાકોર મંદિરમાં ભક્તોને  VIP દર્શનની સુવિધા આપવામાં આવશે. 500 રૂપિયા ચુકવીને કોઈ પણ શ્રધ્ધાળું  VIP દર્શન સુવિધાનો લાભ લઈ શકશે. હવે શ્રધ્ધાળું ઠાકોરજીની સન્મુખ કીર્તન જાળીમાં ઉંબરા પાસે જઇને ભગવાનના નજીકથી દર્શન કરી શકશે. પ્રારંભિક તબક્કે VIP દર્શન માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવી દર્શન માટે મંજૂરી મેળવી શકાશે. જાહેરાતના પ્રથમ દિવસે ગુરુવારે જ 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિએ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા. 


પુરૂષ અને મહિલા દર્શનાર્થીઓ માટે આ છે દર્શનના રેટ

ડાકોરના ઠાકોર રણછોડરાયજીના મંદિરમાં પુરુષ દર્શનાર્થીઓ માટે 500 જ્યારે મહિલા દર્શનાર્થીઓ માટે 250 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. 12 વર્ષથી નાની ઉંમરના બાળકો હશે તો તેમની અલગથી ટિકિટ લેવાની જરૂર પડશે નહીં. આ માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.