બિહારના વૈશાલીમાં બેકાબુ બનેલી ટ્રકને કારણે સર્જાઈ દુર્ઘટના, મુખ્યમંત્રીએ વળતર ચૂકવવાની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-21 08:53:22

દિનપ્રતિદિન દેશમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. અકસ્માત સર્જાતા અનેક લોકો મોતને પણ ભેટતા હોય છે. અકસ્માત થવાનું કારણ મુખ્યત્વે ઓવરસ્પીડ હોય છે. ત્યારે બિહારના વૈશાલી જિલ્લાના મહનારમાં એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં અંદાજીત આઠ લોકોના મોત નિપજ્યાં છે. મૃત્યુ પામનાર લોકોમાં સૌથી વધુ બાળકો છે. બેકાબૂ બનેલી ટ્રક રસ્તાની સાઈડમાં આવેલી વસતિમાં ઘૂસી ગઈ હતી જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ.


બેકાબુ બનેલી ટ્રકને લીધો અનેક લોકોનો જીવ 

અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. પ્રતિદિન રોડ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે રવિવાર રાત્રે એવી દુર્ઘટના બની જેણે દરેકને હચમચાવી નાખ્યાં છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના બિહારના વૈશાલી જિલ્લાના મહનારની છે જ્યાં બેકાબુ બનેલી ટ્રકે અંદાજીત આઠ લોકોના જીવ લઈ લીધા જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા લોકો રસ્તાની બાજુમાં ઉભા હતા. ટ્રક બેકાબુ બનતા પૂજા કરી રહેલા લોકોને કચડી નાખ્યા હતા. પ્રાથમિક અનુમાન પ્રમાણે આઠ લોકો મૃત્યુને ભેટ્યા છે જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. આ મૃત્યુ આંક વધી પણ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે ટ્રક ડાઈવર નશામાં હતો જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. પોલીસે ઘટના સ્થળે આવી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

Image

વળતર ચૂકવવાની કરી જાહેરાત

આ ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમજ બિહારના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે મૃત્યુ પામેલા લોકોને આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરી છે. નિતીશ કુમારે મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને પાંચ લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.